________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૩,
સાનસાર માળા અને વસ્ત્ર પહેરાવ્યા પછી અલંકાર પહેરાવો. આ વિના તો આતમદેવ શોભે નહીં. અલંકારનું નામ છે “ધ્યાન'! ધર્મધ્યાન અને શુક્લધ્યાનઆત્માના અલંકારો છે. અલંકારો કીમતી હોય, અંગ ઉપર ધારણ કર્યા પછી ચોર-ડાકુઓથી સાવધાન રહેવું પડે. આપણું ધર્મધ્યાન લૂંટાઈ ન જાય, એ માટે સતર્કતા જરૂરી છે.
આત્માની શોભા ધ્યાનથી છે, એ કહેવાનું તાત્પર્ય છે. ધર્મધ્યાનનાં ચાર આલંબન : વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથામાં પરોવાયેલા રહેવાનું. શ્રુિતજ્ઞાનની રમણતા! ચાર પ્રકારની અનુપ્રેક્ષા કરવાની. અનિત્ય ભાવના
ભાવો, અશરણ ભાવનાથી ભાવિત બનો. એકત્વભાવના અને સંસારભાવનાનું ચિંતન કરો. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયનું ચિંતન કરો.
આ રીતે આત્માનું પૂજન કરવાનું છે : (૧) ક્ષમાનાં પુષ્પોની માળા પહેરાવવાની; (૨) નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનાં બે વસ્ત્ર પહેરાવવાનાં; (૩) ધર્મધ્યાન-શુક્લધ્યાનના અલંકાર પહેરાવવાના.
આતમદેવ કેવો શોભાયમાન બનશે! તેનાં દર્શન કરતાં મન ઠરશે અને એના સિવાય કોઈનાં દર્શન કરવાનું ગમશે નહીં.
मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्टमङ्गलम् ।
જ્ઞાનાની શુમસંવાતુદ્દે ધૂપથ ૪૨૨૮ છે. અર્થ : આત્માની આગળ મદ્રસ્થાનના ભેદોનો ત્યાગ કરવા વડે આઠ મંગલ (સ્વસ્તિકાદિ) આલેખ, અને જ્ઞાનરૂ૫ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ, કૃણાગરુનો ધૂપ કર.
વિવેચન : વર્તમાનમાં ચાલી રહેલી પૂજનવિધિમાં અષ્ટમંગલનઆલેખન કરવામાં નથી આવતું, પરંતુ અષ્ટમંગલની પાટલીનું પૂજન કરવામાં આવે છે.
કરવાનું છે આલેખના ઉદ્દેશ્ય છે આઠ મદનો ત્યાગ! એક એક મંગલ આલેખતા જવાનું ને એક એક મદનો ત્યાગ કરવાની ભાવના ભાવતા જવાનું. જ કર્મપરવશ જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, આવે છે, ત્યાં
કોની જાતિ શાશ્વત રહે છે? હું જાતિનું અભિમાન નહીં કરું. ૨૬. અષ્ટમંગલનાં નામ : શ્રી વત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત, મત્સ્યયુગલ, દર્પણ ભદ્રાસન, સરાવલું, કુંભ.
For Private And Personal Use Only