________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૯ स्थानाधयोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि।
સૂત્રધાને મહાપ રૂાવાર્થી પ્રક્ષતે દારિદ્ાી અર્થ સ્થાનાદિ યોગરહિતને “તીર્થનો ઉચ્છેદ થાય, ઇત્યાદિ આલંબનથી પણ ચૈત્યવંદનાદિ સૂત્ર શિખવવામાં મોટો દોષ છે, એમ આચાર્યો કહે છે. | વિવેચન : કોઈ પણ વસ્તુના આદાન-પ્રદાનમાં યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરવો આવશ્યક હોય છે. આપનારની અને લેનારની યોગ્યતા પર આપવા-લેવાના વ્યવહારની શુદ્ધિ રહી શકે છે.
આપનાર યોગ્ય હોય પણ લેનાર અયોગ્ય હોય, આ આપનાર અયોગ્ય હોય પણ લેનાર યોગ્ય હોય, જ આપનાર અયોગ્ય અને લેનાર અયોગ્ય હોય,
આ ત્રણેય પ્રકારો શુદ્ધ નથી. એ આપનાર યોગ્ય હોય અને લેનાર યોગ્ય હોય તે પ્રકાર શુદ્ધ છે. સામાયિકસૂત્ર, ચૈત્યવંદનસૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ સૂત્રો આપવાની અહીં ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો કોને આપવા? સૂત્રોના અર્થ કોને સમજાવવા?--આ પ્રશ્ન છે. પૂજ્ય ઉપાધ્યાયજી એમના પૂર્વકાલીન પ્રામાણિક આચાર્યોની સાક્ષી આપવા સાથે આ પ્રશ્નનું સમાધાન કરે છે.
જે વ્યક્તિને સ્થાન વગેરે, ઈચ્છા વગેરે, કે પ્રીતિ વગેરે કોઈ યોગ પ્રિય નથી, કોઈ યોગની આરાધના જે કરતો નથી, તેને સૂત્રદાન ન આપી શકાય.
પ્રશન : આજના કાળે આવા યોગ પ્રિય કે યોગઆરાધક મનુષ્યો, સંધમાં પણ મળવા મુશ્કેલ છે. સોમાં પાંચ મળે તો પણ ઘણા! તો ચૈત્યવંદનાદિ સૂત્રો શું એ બે-પાંચને જ આપવાં? બીજાઓને ન આપવામાં આવે તો ધર્મશાસનનો વિચ્છેદ નહીં થઈ જાય? ગમે તે રીતે અવિધિથી પણ કોઈ ધર્મક્રિયા કરતો હોય, તો ન કરનારા કરતાં તો સારો ને?
સમાધાન : સર્વપ્રથમ ધર્મ-શાસન-તીર્થને સમજો! તીર્થ કોને કહેવાય? જિનાજ્ઞારહિત માણસોનો સમૂહ તે તીર્થ નથી. જિનાજ્ઞાનો પક્ષપાત, જિનાજ્ઞા પ્રત્યે પ્રીતિ તો હોવી જોઈએ. શાસ્ત્રજ્ઞા-જિનાજ્ઞા પ્રત્યે આદર-પ્રીતિબહુમાનવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે શાસન છે, તે તીર્થ છે! આવાઓને સૂત્રદાન આપવામાં કોઈ દોષ નથી. પણ અવિધિને ઉત્તેજન ન આપી શકાય. અવિધિથી ધર્મક્રિયાઓ કરનારાઓની પીઠ ન થાબડી
For Private And Personal Use Only