________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જ્ઞાનસાર શકાય. અવિધિને ઉત્તેજન આપવાથી શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થાય છે, તેથી તીર્થનો વિચ્છેદ થાય છે.
ધર્મક્રિયા નહીં કરનારા કરતાં અવિધિથી કરનારા સારા,” એમ કહેવાય નહીં. અવિધિની પરંપરાઓ ચાલ્યા પછી અવિધિ “વિધિ' બની જાય છે. પછી કોઈ શાસ્ત્રોક્ત વિધિ બતાવે, તો “અવિધિ” લાગે છે! પૂજ્ય યશોવિજયજી ઉપાધ્યાયના જ શબ્દોમાં વાંચો :
શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી, પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુખાશય નિમિત્તરૂપ નથી, અને પોતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનાર જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરંતુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહા દૂષણ છે, એ પણ તીર્થઉચ્છેદના ભીરુએ વિચાર કરવા યોગ્ય છે.”
(‘યોગાષ્ટક', શ્લોક ૮, ટબ્બો) સ્થાનાદિ ૫ યોગ, ઇચ્છાદિ ૪ યોગ અને પ્રીત્યાદિ ૪ યોગનો માર્ગ બતાવીને પૂજ્ય ઉપાધ્યાયજીએ મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છનારને સુંદર માર્ગદર્શન આપ્યું છે. ભોગની ભ્રમણામાંથી નીકળી યોગના માર્ગે પ્રયાણ કરવા આ યોગાષ્ટકનું ગંભીર ચિંતન કરવું જોઈએ. સાથે સાથે યોગવિંશિકા'નું અધ્યયન પણ કરવું જોઈએ, જેથી વિશેષ અવબોધ પ્રાપ્ત થશે.
00,
For Private And Personal Use Only