________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૭ યોગનો પૂર્વભાવી આ અનાલંબન યોગ છે; અર્થાત્ તેરમે ગુણસ્થાનકે યોગનિરોધ થાય છે તેનો પૂર્વભાવી અનાલંબન યોગ ૧ થી ૭ ગુણસ્થાનકોમાં સંભવતો નથી. એટલે આપણા જેવા સાધકદશામાં રહેલા (૧ થી ૭ ગુણસ્થાનકોમાં) જીવો માટે તો પહેલા ચાર યોગો જ આરાધવાના છે. પરંતુ અનાલંબન યોગનું સ્વરૂપ જાણવું આવશ્યક છે, જેથી આપણો આદર્શ સ્પષ્ટ બને, આપણું ધ્યેય સ્પષ્ટ બને. આ અનાલંબન યોગ ધારાવાહી પ્રશાન્તવાહિતા' પણ કહેવાય છે.
प्रीति-भक्ति-वचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । - तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ।। ७ ।।२१५।।
અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે સ્થાનાદિ યોગ પણ ચાર પ્રકારે છે, તેથી યોગના નિરોધરૂપ યોગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. વિવેચન : ૫ યોગ (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન)
x ૪ યોગ (ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ) ૨૦ X૪ (પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ.)
૮૦ આ છે યોગના ભેદ-પ્રભેદોનું ગણિત. આ રીતે યોગને આરાધતો યોગી અયોગી બને છે, શૈલેશી પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત કરે છે.
ચૈત્યવંદનાદિ ધર્મયોગમાં પરમ આદર હોય. ગતાનુગતિક રીતે ભાવશૂન્ય હૃદયે આરાધાતો ધર્મયોગ આત્માની પ્રગતિ કરી શકતો નથી. પ્રીતિ-અનુષ્ઠાનમાં તેને સ્થાન મળતું નથી. અનુષ્ઠાનમાં તો એવી પ્રીતિ હોય કે અનુષ્ઠાન કરનારના હિતનો ઉદય થઈ જાય. બીજા બધાં જ સાંસારિક પ્રયોજનોનો ત્યાગ કરી એકનિષ્ઠાથી ધર્માનુષ્ઠાન આરાધે. એના મનમાં નિરંતર સર્વત્ર એ ધર્માનુષ્ઠાનની પ્રીતિ બની રહે.
ભક્તિ-અનુષ્ઠાનમાં પણ એ જ આદર, ઉત્કટ પ્રીતિ અને અન્ય પ્રયોજનોનો ત્યાગ હોય છે, પરંતુ અહીં એક વિશેષતા હોય છે : જે ધર્મયોગ તે આરાધતો હોય તેનું મહત્ત્વ-ગૌરવ એનાં હૃદયમાં અંકિત થાય. મન-વચનકાયાના યોગ વિશેષ વિશુદ્ધ હોય!
For Private And Personal Use Only