________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૩ યશોવિજયજી પણ હોય. તેમના જેવા યોગી બનવા તે શુભ-પવિત્ર ઉપાયોનું પાલન કરે છે.
(૩) શરૂઆતમાં તેનો પુરુષાર્થ ખોડખાંપણવાળો હોઈ શકે. તેમાં ભૂલો પણ થાય અને અતિચાર પણ લાગે, પરંતુ સજાગ યોગીના લક્ષ બહાર એ હોતું નથી, એ અતિચાર ટાળવા માટે પ્રયત્ન કરે છે. ભૂલોને સુધારી લે છે. એવો એ અપ્રમત્ત બને છે કે નિરતિચાર આચારપાલન કરે છે. તેને કોઈ અતિચાર લાગવાનો ભય જ રહેતો નથી.
(૪) આવા યોગીને અહિંસાદિ ગુણો એવા સિદ્ધ થાય કે એના સાંનિધ્યમાત્રથી તે ગુણો બીજા જીવોને પ્રાપ્ત થાય. મનુષ્યોની વૈરવૃત્તિ શમી જાય, પશુઓની હિંસકવૃત્તિ શાંત થઈ જાય.
અહીં સર્વ પ્રથમ યોગ “કથાપ્રીતિ' ખૂબ મહત્વ રાખે છે. યોગવાળા યોગીની કથા-વાર્તાનું શ્રવણ કરતાં પ્રીતિ થાય. આ પ્રીતિ સ્વાભાવિક હોય છે. આવા પ્રીતિવાળા મનુષ્યોને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરવી ગમતી હોય છે. એ માટે યોગીપુરુષોનું પાવન સાનિધ્ય શોધતો હોય છે. જ્યારે એવા યોગીપરુષો મળી જાય છે ત્યારે તેના આનંદની અવધિ રહેતી નથી.
આજે મુનિવર્ગમાં આ સ્થાનાદિ યોગો તરફની પ્રવૃત્તિ પ્રાયઃ જોવામાં આવતી નથી. યોગનો માર્ગ જાણે કોઈ બીજા વર્ગ માટે છે, એમ સમજાઈ રહ્યું છે. અલબત્ત, શાસ્ત્રસ્વાધ્યાય અને તપશ્ચર્યા થાય છે, પરંતુ તેમાં સ્થાનાદિ યોગો ભળેલાં નથી. તેથી એ શાસ્ત્રસ્વાધ્યાય અને તપશ્ચર્યા, સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં લઈ જઈ શકતાં નથી. - મોક્ષ સાથે જોડી આપનાર ધર્મયોગની આરાધનામાં આ જોડી આપવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતુ જે રીતે તે ધર્મક્રિયા થવી જોઈએ, તે રીતે થવી જોઈએ. ઉત્તરોત્તર એ ધર્મક્રિયાને વિશુદ્ધ અને અતિચારરહિત બનાવવાની જાગૃતિ હોવી જોઈએ. ધ્યેયશૂન્ય, વિચારશૂન્ય ધર્મક્રિયા આત્માનું કલ્યાણ સાધી શકતી નથી.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् ।
श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।।५।।२१३।। અર્થ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ કરવું અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે.
For Private And Personal Use Only