________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
જ્ઞાનસાર પ્રેરણાનો સ્રોત બની રહે છે. એની આંખો બંધ હોવા છતાં એનું મન એ પ્રતિમાને નિહાળે છે. એની જિલ્લા શાંત હોવા છતાં પરમાત્માની સ્તુતિ એ ગાઈ રહ્યો હોય છે. પરમાત્મદશાના પ્રેમી માટે પ્રતિમા સ્નેહ-સંવનન માટે પર્યાપ્ત સાધન બની જાય છે.
જેના પ્રત્યે મનુષ્યને રાગ, સ્નેહ, પ્રીતિ હોય છે, એના વિરહમાં એની પ્રતિકૃતિ (ફોટો), એની મૂર્તિ.... રાગી માટે કેટલું મહત્ત્વ રાખે છે એ એને પૂછી જુઓ. એ ફોટા દ્વારા એ પ્રેમી એની નિકટતા પ્રાપ્ત કરે છે, એની
સ્મૃતિ તાજી રખાવે છે, એના સ્વરૂપનો ખ્યાલ રખાવે છે. જ્યારે એ આલંબન દ્વારા એના પ્રેમની ઉત્કટતા પ્રગટે છે, ત્યારે એ પાંચમા યોગમાં ચાલ્યો જાય છે.
રહિત' યોગમાં કોઈ વિકલ્પ, વિચાર, કલ્પનાને સ્થાન નથી. તે તદ્રુપ બની જાય છે. પછી એને વિચાર કોનો કરવાનો?
આ રીતે ક્રિયાયોગ અને જ્ઞાનયોગને સમજીને મુનિ એને આરાધે છે. જ્યારે અપુનબંધક, શ્રાવક વગેરેમાં આ યોગનો પ્રારંભ થયેલો હોવાથી એમનામાં યોગબીજ હોય છે.
कृपानिर्वेदसंवेग-प्रशमोत्पत्तिकारिणः ।
भेदा: प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ।।३।।२११।। અર્થ : અહીં પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. તે કૃપા, સંસારનો ભય, મોક્ષની ઈચ્છા અને પ્રશમની ઉત્પત્તિ કરનાર છે.
વિવેચન : પાંચ યોગ, દરેકના ચાર-ચાર પ્રકાર, કુલ વસ પ્રકાર. પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ, આ ચાર ભેદ છે.
પહેલો યોગ છે, “સ્થાન.” આસન અને મુદ્રાઓની ઈચ્છા જાગ્રત થાય. પછી તેમાં પ્રવૃત્તિ થાય; અર્થાત્ જે ધર્મક્રિયામાં જે આસન અને મુદ્રા રાખવાનાં હોય તે રાખે. ત્યારબાદ તેમાં સ્થિરતા આવે. એટલે કે આસન મુદ્રામાં કંટાળો, અરુચિ કે ચંચળતા દૂર થાય. એમ કરતાં તે આસન અને મુદ્રા સિદ્ધ થાય.
બીજો યોગ છે “ઉ. જે ક્રિયામાં જે સૂત્રોનું ઉચ્ચારણ કરવાનું હોય તે સૂત્રોનું અધ્યયન કરવાની ઈચ્છા થાય. પછી તે તે ક્રિયામાં સૂત્રોનું ઉચ્ચારણ કરવાની પ્રવૃત્તિ કરે. સૂત્રોના ઉચ્ચારણમાં સ્થિરતા આવે, અર્થાતુ ક્યારેક
For Private And Personal Use Only