________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાનુસાર
૩૨૮
અહીં પહેલા ચાર પ્રકાર સવિકલ્પ સમાધિરૂપ છે. પાંચમો પ્રકાર તે નિર્વિકલ્પ સમાધિરૂપ છે,
આ પાંચ પ્રકારોમાં પહેલો પ્રકાર “આસન' નો છે. દરેક યોગાચાર્યોએ યોગનો પ્રારંભ આસનથી બતાવેલો છે. અષ્ટાંગ યોગમાંય પ્રથમ આસન છે. “આસન દ્વારા શરીરની ચંચળતા દૂર કરવાની હોય છે. જ્યાં સુધી શરીર સ્થિર ન બને, ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી.
આપણી ધાર્મિક ક્રિયાઓ-સામાયિક; પ્રતિક્રમણ વગેરેમાં આ આસનનું મહત્ત્વ રહેલું છે. સામાયિકમાં સુખાસન, પદ્માસન, સિદ્ધાસનથી બેસવામાં આવે અને પછી સ્વાધ્યાય જાપ કરવામાં આવે, તો સામાયિકની ધર્મક્રિયા પ્રભાવોત્પાદક બની જાય. પ્રતિક્રમણમાં “કાઉસ્સગ્ન” કરવામાં આવે છે તે પણ આસન છે. તે માટે કાઉસ્સગ્ગના દોષો ટાળવાનું લક્ષ જોઈએ.
તેવી રીતે મુદ્રાઓનું પણ લક્ષ જોઈએ. કઈ ક્રિયામાં કેવી મુદ્રા રાખવાની હોય છે, તેનું જ્ઞાન જોઈએ. તેવી રીતે સૂત્રોના અર્થનું જ્ઞાન અને એનો ઉપયોગ જોઈએ. ઉચ્ચારણ પણ શુદ્ધ જોઈએ. પ્રતિમા, સ્થાપના વગેરે જે કોઈ આલંબન સામે હોય તેમાં દૃષ્ટિ સ્થિર રાખવી જોઈએ. તો એ મહાન યોગ બને, અને એ યોગ આત્માને મોક્ષ સાથે જોડી આપે.
બેસવાનો ઢંગ નહીં, સૂત્રોચ્ચારણની શુદ્ધિ નહીં, અર્થોપયોગ પ્રત્યે ઉપેક્ષા, મુદ્રાઓનો ખ્યાલ નહીં અને આલંબન પ્રત્યે બેદરકારી! આવો યોગ આત્માને મોક્ષ સાથે જોડી આપે નહીં... પણ મોક્ષ સાથે આત્માને જોડવાની ઈચ્છા હોય ત્યારે ને! યોગથી પણ ભોગ મેળવવા હોય તેવા રજ-તમોગુણથી આવરાયેલા જીવો યોગની પણ કદર્થના કરતા જોવામાં આવે છે.
कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि ।।२।२१०।। અર્થ : તેમાં બે કર્મયોગ અને ત્રણ જ્ઞાનયોગ જાણે છે, એ વિરતિવંતમાં અવશ્ય હોય છે. બીજામાં પણ યોગના બીજરૂપ છે. વિવેચન : “જ્ઞાન-
જિમ્યાં મોર' જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. આ પાંચ યોગમાં બે ક્રિયાયોગ છે, ત્રણ જ્ઞાનયોગ છે.
સ્થાન અને શબ્દ ક્વિાયોગ છે. અર્થ, આલંબન અને એકાગ્રતા જ્ઞાનયોગ છે.
For Private And Personal Use Only