________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
alનસાર
૧૨
વિવેચન : તમે ક્યારેય જલક્રીડા કરવા માટે સાગરમાં ઝંપલાવ્યું છે? કોઈ નદીના જલપ્રવાહમાં ઊતર્યા છો? કોઈ રમણીય સરોવરમાં ઝીલ્યા છો? કોઈ “સ્વીમીંગ બાથ” (Swimming Bath)માં પ્રવેશ્યા છો? જલક્રીડાનો રસિક જીવ જ્યારે સાગર, નદી, સરોવર કે સ્વીમીંગ બાથમાં આનંદવિભોર બને છે ત્યારે કોઈ એને બોલાવવા આવે... કોઈ આવીને એની આનંદમસ્તીમાં વિઘ્ન નાખે ત્યારે તે એને ઝેર જેવો લાગે છે!
એવી રીતે આત્મા જ્યારે પોતાના સ્વાભાવિક જ્ઞાનાનંદના મહોદધિમાં આનંદમગ્ન બને છે. તેની સમગ્ર વૃત્તિઓ જ્ઞાનાનંદમાં લીન બની જાય છે. ત્યારે નથી ને કોઈ પૌદ્ગલિક વિષય ઘૂસી આવે છે. તો આત્માને તે હલાહલ ઝેર જેવો લાગે છે. પુદ્ગલનાં આકર્ષક રૂપ તેને આકર્ષી શકતાં નથી.... પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી... પુદ્ગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી શકતા નથી.. પુદ્ગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુદ્ગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી. એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દનો એના આત્મઘરમાં પ્રવેશ થતાં જ ધ્રુજી ઊઠે છે... જેમ કોઈ ઝેરીલા સર્પને ઘરમાં પેસતાં જોઈ ધ્રુજી ઊઠે તેમ.
એવા સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બનેલો આત્મા શું સામે પગલે ચાલીને પૌદૂગલિક સુખના બજારમાં વિષયનાં સુખો ખરીદવા નીકળે? વિષયનાં સુખોના અભાવમાં દીન... શોકાક્રાન્ત બને? વૈષયિક સખો મળતાં રાજી થાય? સમજવું જોઈએ કે જો આપણે પૌલિક સુખોની શોધ કરી રહ્યા છીએ, એ ન મળતાં શોક, આક્રંદ કરી રહ્યા છીએ, એ મળતાં રાજી-રાજી બની જઈએ છીએ.. તો આપણે આપણા સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બન્યા નથી. પરમબ્રહ્મનો આનંદ અનુભવ્યો નથી.
स्वभावसुखमग्नस्य जगतत्त्वालोकिनः ।
कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।।३।।११।। અર્થ : સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા અને જગતુ-તત્ત્વનું સ્યાદ્ વાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે.
વિવેચન : કોઈ ભલો મનુષ્ય કેટલાક દુષ્ટ મનુષ્યોના હાથમાં ફસાઈ ગયો... દુષ્ટોએ તેના આચારવિચારમાં સદંતર પરિવર્તન કરી નાખ્યું. તેની
For Private And Personal Use Only