________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૯ તમારે વિનમ્ર બનીને તેના ગુણની અનુમોદના કરવાની છે. ગુણદ્વેષથી, તેના દોષોનો અનુવાદ કરશો તો તમે સુખી નહીં રહી શકો તમારું મન અશાંત અને ક્લેશયુક્ત બની જશે.
શું તમે ગુણવાન પુરુષોની નિંદા ન કરો તો ન ચાલે? શું નિંદા કરવાથી તમારી મહત્તા વધતી લાગે છે? શું દોષાનુવાદ કરવાથી તમે તમારો આત્મોત્કર્ષ કરી શકશો? એથી તમારા અધ્વસાયો શુદ્ધ બનશે? શા માટે તમે દુ:ખીઅશાન્ત બનો છો? તમે તમારે સત્તર પ્રકારના સંયમમાં મસ્ત રહો! દ્રોહ, મમતા અને મત્સરને ઊંડી ખીણમાં ફેંકી દો. લોકો ભલે એ બધામાં રાચતા હોય! તમારાથી એમાં ન રાચી શકાય! ગટરમાં ભૂંડ આળોટે, હંસ કદી ન આળોટે! તમે તો રાજહંસ છો. તમારાથી એવી લોકસંજ્ઞામાં પડાય જ નહીં. લોકસંજ્ઞાને ત્યજો.
=
For Private And Personal Use Only