________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
જ્ઞાનસાર (૧) પરબ્રહ્મમાં સમાધિ, (૨) દ્રોહત્યાગ, (૩) મમતાત્યાગ, (૪) મત્સત્યાગ.
બ્રહ્મ એટલે સંયમ. સંયમમાં પરમ લીનતા પ્રાપ્ત કરવાની સત્તર પ્રકારનો સંયમ જાણો છો ને?
पञ्चाश्रवाद् विरमणं पंचेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ।।
- પ્રશમરતિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવોથી વિરામ પામો. પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખો. ક્રોધ, માન, માયા અને લોભઆ ચાર કષાય પર વિજય મેળવો. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકો. આ જ તમારી સમાધિ છે.
દ્રોહનો ત્યાગ કરજો. દગો ન દેશો. તમે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનને દગો ન દેશો. વફાદારી નિભાવજો. તમારા પોતાનાં સુખની ખાતર ભગવંતનું શાસન છોડી ન જશો. એના નિયમોનું ઉલ્લંઘન ન કરશો. તમને પ્રભુનો વેશ મળેલો છે. એ વેશથી તમને અન્ન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ સામગ્રી મળે છે, લોકો તમને મસ્તક ઝુકાવે છે, તમારું સન્માન કરે છે. એ વેશનો દ્રોહ ન કરશો.
મમતાને ત્યજી દેજો. સંસારી સ્વજનો પ્રત્યેની મમતાનું ધૂનન કરજો. ભક્તો પર મમત્વ ધારણ ન કરશો. દેહ, ઉપાધિ અને ઉપાશ્રય આદિ બાહ્ય પદાર્થો પરના મમત્વનો ત્યાગ કરવો જ પડે, જ્યાં સુધી બીજા પદાર્થો પર મમત્વ છે, ત્યાં સુધી આત્મા પર મમત્વ નહીં થઈ શકે. ને બીજા પદાર્થો પરનું મમત્વ તમને શાંત, પ્રસન્ન કે સ્વસ્થ નહીં રહેવા દે.
ગુણ પર દ્વેષ ન કરવો. મત્સર એટલે ગુણષ! ગુણદ્વેષ ટાળવા ગુણવાન પુરુષો પર દ્વેષ નહીં કરવાનો! હા, છvસ્થ આત્માઓ પણ ગુણવાન હોય છે! દોષોની હાજરીમાં પણ ગુણ જ જોવાના. ગુણના અનુરાગી બનવાનું. દોષ જોઈને ગુણવાન પર દ્વેષી બનશો તો તમે પોતે જ અશાન્ત બની જશો.
હા, જે ગુણ તમારામાં ન હોય, તે ગુણ બીજા આત્માઓમાં દેખાય, ત્યાં
For Private And Personal Use Only