________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૫ શું ધર્મની આરાધના-પ્રભાવના કરતાં “આત્માની વિષયકષાયોથી નિવૃત્તિ' સ્મૃતિમાં રહે છે? શું પરમાત્માનું શાસન યાદ રહે છે? શું યાદ રહે છે? હું તમને તમારી જાત અને તેની પ્રશંસા યાદ રહે છે! અહો, તમે કમર તોડી નાખે તેવી દેખીતી આરાધના કરો છો. પણ જો એમાં મોક્ષ અને આત્માને મુખ્ય બનાવી દો તો? માટે આત્માને ઓળખો. આત્માની સ્વાભાવિક અને વૈભાવિક અવસ્થાઓને ઓળખો. મોક્ષના અનંત સુખને મેળવવા માટે મથો.
જો આ લક્ષ્ય..ઉદ્દેશ...આદર્શ નહીં રાખો તો વિષયકષાયની વૃદ્ધિ થયા કરશે! સંજ્ઞાઓ પુષ્ટ બનતી જશે.. લોકસંજ્ઞા તમને અનંત ભવ રખડાવશે. કીર્તિ-પ્રશંસાની ભૂખ વધી જશે... ને જ્યારે એ ભૂખને ભાંગનારું “યશકીર્તિ નામકર્મ તમારી પાસે નહીં હોય ત્યારે શું કરશો?
આજે લોકોત્તર માર્ગમાં પણ લોકસંજ્ઞાને વરેલા નજરે પડે છે ત્યાં અફસોસ સિવાય બીજો ક્યો માર્ગ છે? પરમાત્માના શાસનની ધુરાને વહન કરનારાઓ જ જ્યારે લોકસંજ્ઞામાં ફસાઈ જાય ત્યારે બીજો કયો માર્ગ રહે છે? માટે ઉપાધ્યાયજી મહારાજ તખો પ્રહાર કરી રહ્યા છે. - લોકસંજ્ઞામાં ફસાયેલા મનુષ્યો “લોકહિત' કરવાનો બચાવ કરે છે. લોકનું હિત, લોકના આત્માને ઓળખ્યા વિના થઈ શકે? હિત-અહિતનો વિવેક લોકસંજ્ઞામાં ફસાયેલો મનુષ્ય કરી શકતો નથી. તે હિતને અહિત અને અહિતને હિત માની લે છે તેના હૈયે જીવોનું આત્મકલ્યાણ વસેલું હતું જ નથી. એ તો જેમાં પોતાનો કીર્તિયશ ફેલાતો હોય, તેવી જ પ્રવૃત્તિ કરવાનો. ને તેને “આત્મહિતનું લેબલ' લગાડવાનો. આવી પરિસ્થિતિમાંથી કોઈક જ રત્નનો વેપારી મહામુનિ બહાર નીકળી શકે છે, મનુષ્યજીવન અને મળેલો લોકોત્તર માર્ગ લોકસંજ્ઞાથી ચૂંથી નાખનારો મનુષ્ય, ખરેખર; અફસોસને જ પાત્ર છે. માટે લોકસંજ્ઞાને ત્યજો.
आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया।
तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने ।।७।।१८३ ।। અર્થ આત્મા સાક્ષી જેમાં છે એવા સત્યધર્મની પ્રાપ્તિ થવાથી લોકવ્યવહારનું શું કામ છે? તેમાં પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને ભરત મહારાજા દૃષ્ટાંતરૂપ છે. વિવેચન : ચક્રવતી ભરત, ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર,
For Private And Personal Use Only