________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭
લોકસંશાત્યાગ જંગલમાં રોજ ઢોર ચરાવવા જાય.
એક દિવસ તેને ચિંતામણિરત્ન જડ્યું. તેને એ પથ્થર ખૂબ ગમી ગયો. તેણે પોતાની બકરીના ગળે એ બાંધી દીધો. સાંજે ઢોર ચરાવી ભરવાડ ગામમાં આવ્યો. ગામના ઝાંપે બોર વેચાતાં હતાં. ભરવાડને બોર જોઈને મોઢામાં પાણી આવ્યું. “બોરવાળી; મને બોર આપ!” મફત ન મળે.'
ભરવાડ પાસે પૈસા ન હતા. તેણે બકરીના ગળે બાંધેલું ચિંતામણિરત્ન જોયું. બોરવાળીને રત્ન આપી બોર ખરીદ્યાં, બોરવાળીએ ચિંતામણિરત્ન જોયું. તેણે ઓળખ્યું નહીં. ત્યાંથી એક ઝવેરી શેઠ જતા હતા. ચિંતામણિરત્નને તેમણે ઓળખ્યું. થોડા પૈસા આપી શેઠે રત્ન ખરીદી લીધું!
ધર્મને આપી લોકપ્રશંસા ખરીદનાર પેલા ભરવાડ જેવો જ ને? ધર્મ ચિંતામણિરત્ન કરતાં પણ વિશેષ છે! એ અચિંત્ય ચિંતામણિ છે. મનુષ્યના મનમાં જેનો વિચાર પણ ન આવી શકે તેવી દિવ્ય અને અપૂર્વ ભેટ સદ્ધર્મચિંતામણિ આપે છે. એ સદ્ધર્મને લોકપ્રશંસા... લોકરંજન માટે આપી દેનાર ભરવાડ કરતાં પણ વધુ મૂર્ણ છે.
તારી પાસે સદ્ધર્મ છે; એ અચિંત્ય ચિંતામણિ છે, એ તું જાણે છે? સદ્ધર્મને તું શું સમજી બેઠો છે? જે સદ્ધર્મથી આત્માની અનંત સંપત્તિ મેળવી શકાય છે, તે સદ્ધર્મને તું લોકપ્રશંસા માટે વેચી રહ્યો છે? લોકો ભલે તને તપસ્વી કહે, વિદ્વાન કહે, બ્રહ્મચારી કહે, પરોપકારી કહે, બુદ્ધિશાળી કહે, પરંતુ જ્ઞાની સજ્જન પુરુષોની દૃષ્ટિએ તે વાસ્તવમાં મૂર્ખ છે. તેં ધર્મનો ઉપયોગ લોકપ્રશંસા મેળવવા માટે કર્યો-એ જ મૂર્ખતા છે!
અરે, મૂર્ખતાની કોઈ હદ છે? કોઈને તું સદ્ધર્મ દ્વારા લોકપ્રશંસા મેળવતો જુએ છે, તને તે મહાન લાગે છે ને તારી જાત તને હલકી.. ઊતરતી લાગે છે! તને પણ લોકપ્રશંસા અને લોકોનાં અભિનંદન ઝીલવાના કોડ જાગે છે! સદ્ધર્મની પ્રાપ્તિ, સદ્ધર્મની આરાધનાથી તને સંતોષ, આનંદ કે તૃપ્તિ થતી
નથી!
તું તપશ્ચર્યા કરે છે! તપ એ સદ્ધર્મ છે. એ તપશ્ચર્યા દ્વારા તું લોકોની પ્રશંસા નથી ચાહતો ને? તે સ્વયં તપની જાહેરાત દ્વારા લોકો મારી પ્રશંસા કરે...” એવી ચાહના નથી રાખતો ને? તું દાન દે છે! દાન એ સદ્ધર્મ છે. તું
For Private And Personal Use Only