SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ જ્ઞાનસાર यस्य गम्भीरमध्यस्याज्ञानवज्रमयं तलम् । ૧દ્ધા વ્યસનનોર્થઃ પત્થાનો યત્ર કુમા: II9T9૬૬l पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः । कषायाश्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ।।२।१७०।। स्मरौर्वाग्निर्बलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा। यो घोररोगशोकादिमत्स्य कच्छपसंकुलः ।।३।।१७१ ।। दुर्बुद्धिमत्सरद्रोहैविधुदुर्वातगर्जितैः । यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसंकटे ।।४।।१७२ ।। ज्ञानी तस्माद् भवोम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं सर्वयत्नेन काङ्क्षति ।।५।।१७३ ।। અર્થ : ૧. જેનો મધ્ય ભાગ ગંભીર છે, જેનું સંસારસમુદ્રનું) તળિયું અજ્ઞાનરૂપી વજથી બનેલું છે, જ્યાં સંકટરૂપ પર્વતના સમૂહ વડે રૂંધાયેલા દુર્ગમ માર્ગો છે. ૨. જ્યાં (સંસાર સમુદ્રમાં) તૃષ્ણારૂપ મહાવાયુથી ભરેલા પાતાલકળશારૂપી ચાર કષાયો (ક્રોધાદિ) મનના સંકલ્પરૂપી ભરતીને વિસ્તાર છે. ૩. જ્યાં મધ્યમાં હમેશાં નેહરૂપ ઇંધનવાળો કામરૂપી વડવાનળ બળે છે, (અને) જે ભયંકર રોગ-શોકાદિરૂપ માછલાં અને કાચબાથી ભરેલો છે, ૪. દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી વીજળી-વાવાઝોડાં અને ગર્જના વડે જ્યાં વહાણવટી લોકો તોફાનરૂપી સંકટમાં પડે છે, ૫. તે ભયંકર સંસારસમુદ્રથી હમેશાં ભયભીત થયેલા જ્ઞાની પુરુષ તેને તરવાના ઉપાયને સર્વ પ્રયત્નથી ઈચ્છે છે. વિવેચન : સંસાર! જે સંસારને અનંત જીવો મોહી રહ્યા છે, તે સંસાર કેવો છે? મોક્ષદશાને વરેલા પરમ આત્માઓ એ સંસારને કેવો જોઈ રહ્યા છે? એ સંસારને તમે જુઓ, ઉદ્વેગ થઈ જશે. અપ્રીતિ થઈ જશે! ને એ જ કરવું છે ને? સંસારની આસક્તિ... સંસારની પ્રીતિ તૂટ્યા વિના શાશ્વત. અનંત.. અવ્યાબાધ સુખ મળી જ ન શકે! અહીં સંસારનું જે વાસ્તવિક... યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે, તે જુઓ. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy