________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોદ્વેગ
ઓ સંસારપરિભ્રમણના રસિક જીવ! જરા આ સંસારસમુદ્રને તો જો! એની ભીષણતાને તો જો! આ સંસારમાં તું રાચે છે? આ સંસારમાં તને સુખ લાગે છે? વિચાર. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભવસમુદ્રની ભીષણતા સમજાવી છે... એને ઉપરઉપરથી ન વાંચી જઈશ. ખૂબ ગંભીરતાથી વાંચજે.
ભવનાં વિષમ બંધનોથી મુક્ત થવા માટે જે જોમ જોઈએ, શક્તિ જોઈએ... તે પ્રગટ કરવા આ અષ્ટક પુનઃ પુનઃ વાગોળવા જેવું છે.
For Private And Personal Use Only