________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમવિપાક-ચિંતન
૨૪૭ તેમ ચાહો છો? કર્મોએ આપેલી સામગ્રીનો સદુપયોગ કરતાં તો આવડતો નથી અને વધુ સામગ્રી મેળવવાની ઝંખના રાખો છો? તમે નહીં જાણતા હો કર્મની ક્રૂરતાને! તમને આપેલી અનુકુળ સામગ્રીનો સદુપયોગ ન કર્યો તો એ તમને આપેલી સામગ્રી પણ ઝૂંટવી લેશે અને તમને એવી સ્થિતિમાં મૂકી દેશે કે તમે તેના નર્યા ગુલામ જ બની જશો!
જો તમે મળેલી સામગ્રીનો સદુપયોગ કરશો, કર્મ તમને તેનાથી પણ ઉચ્ચ સામગ્રી ભેટ ધરશે! એ સામગ્રી દ્વારા તમે કર્મોનો નાશ કરી શકશો. શું તમે એવાં દૃષ્ટાંતો નથી સાંભળ્યાં?
કર્મો તમને પ્રત્યક્ષ દેખાતાં નથી એટલે એનો નાશ પણ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા ધર્મ દ્વારા જ કરવો પડે. ધર્મથી કર્મનો નાશ થાય છે. ધર્મ આત્માનો છે, પણ આત્મા સુધી પહોંચવા માટે પાંચ ઇન્દ્રિયો અને મનનો સદુપયોગ કરવો પડે. દુનિયાનાં તુચ્છ સુખોમાં એ ઇન્દ્રિયો ને મનને જોડો નહીં; તો જ તમે આત્મા સુધી પહોંચી શકવાના અને આત્મધર્મને પ્રાપ્ત કરી શકવાના. આત્મધર્મથી કર્મનો ક્ષણમાં ક્ષય થઈ શકે છે. જેમ જેમ કર્મોનો ક્ષય થતો જશે, તેમ તેમ અદશ્ય ધર્મતત્ત્વ સાથેનો સંબંધ દૃઢ બનતો જશે.
એટલે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા વગેરેના દોષ જોયા વિના કર્મનો નાશ કેમ કરવો, તે જ વિચાર કરો. જો કર્મને ભૂલીને આ કાળ ખરાબ છે... ભવિતવ્યતા સારી નથી...' વગેરે બહાનાં કાઢ્યાં તો કર્મ ચઢી બેસશે... દુઃખ, અશાંતિ, ક્લેશ અને સંતાપમાં શેકાઈ જશો. માટે ધર્મમાં પુરુષાર્થ કરો. કર્મોના ભયની ગંભીરતા સમજો; પ્રમાદને ખંખેરી નાખી કર્મોનો વિનાશ કરવા કટિબદ્ધ બની જાઓ.
असावचरमावर्ते धर्म हरति पश्यतः ।
चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति ।।७।।१६७ ।। અર્થ ? આ કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવર્ત સિવાયના બીજા પગલપરાવર્તમાં દેખાતાં છતાં ધર્મને હરે છે; પણ ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા સાધુનાં છિદ્ર શોધીને ખુશ થાય છે. વિવેચન : ચરમ પુદ્ગલપરાવર્તન કાળ, અચરમ ૫ગલપરાવર્ત કાળ!
* જુઓ પરિશિષ્ટ ૧૯.
For Private And Personal Use Only