________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૪૯
अर्वाक् सर्वाऽपि सामग्री श्रान्तेव परितिष्ठति।
विपाकः कर्मण: कार्यपर्यन्तमनुधावति ।।६।।१६६।। અર્થ : નજીક રહેલી બીજી બધી ય કારણ-સામગ્રી થાકી ગયેલાની પેઠે રહે છે, (પરંતુ) કર્મનો વિપાક કાર્યના અંત સુધી પાછળ દોડે છે. | વિવેચન : કર્મનો વિપાક એટલે કર્મનું પરિણામ-ફળ.
કોઈ પણ કાર્ય, કારણ વિના બની શકતું નથી; અને દરેક કાર્ય પાછળ પાંચ કારણો કામ કરતા હોય છે :
(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) ભવિતવ્યતા, (૪) કર્મ, અને (૫) પુરુષાર્થ.
પરંતુ આ બધાંમાં પ્રધાન મુખ્ય-કારણ “કર્મ' છે! કર્મનો વિપાક ઠેઠ કાર્યના અંત સુધી દોડ્યો આવે છે. બીજા બધાં કારણો થાકી જાય છે... કોઈ કાર્યની ભૂમિકા રચી આપે છે, કોઈ કાર્યનો પ્રારંભ કરાવી રવાના થાય છે... કોઈ કાર્યની મધ્યમાં જ થાકીને બેસી જાય છે. પરંતુ કર્મ થાકતું નથી. જ્યાં સુધી કાર્ય જન્મે, રહે અને નાશ પામે ત્યાં સુધી કર્મ તો સાથે જ! એને વિશ્રામ જ નહીં.
જેટલો ભય બીજા કારણોનો નથી, તેટલો ભય કર્મનો છે. કર્મનો ક્ષય થતાં બીજા કારણો તો સહજ રીતે જ દૂર થઈ જાય છે; એ કારણોને દૂર કરવા મહેનત કરવી પડતી નથી. બીજા કારણો તો કર્મની પાછળ ચાલ્યા કરે છે,
એટલે કર્મના અનુચિંતનમાં; કર્મનો જ ક્ષય કરવામાં પુરુષાર્થ કરવાનો છે. કર્મનો ક્ષય કરવા માટે મનુષ્યને કર્મો જ અનુકૂળ સામગ્રી આપી છે! પોતાનો ક્ષય કરવા માટે પોતે જ કર્મસામગ્રી આપી રહ્યું છે!
એ તમને મનુષ્ય-ગતિ મળી છે? જ તમને આર્યભૂમિમાં જન્મ મળ્યો છે? છે તમને શરીરનું આરોગ્ય મળ્યું છે? તમારી પાંચેય ઇન્દ્રિયો પરિપૂર્ણ છે?
તમને વિચારવંતું મન મળ્યું છે? જ તમને સુદેવ-ગુરુ-ધર્મનો સંયોગ મળ્યો છે?
કર્મોનો નાશ કરવા માટે બીજું તમારે શું જોઈએ છે? આનાથી વિશેષ સામગ્રી જોઈએ છે? શું કર્મોનો નાશ કરવાની ભાવના પણ કર્મ જ જગાડે, * જુઓ પરિશિષ્ટ ૧૮.
For Private And Personal Use Only