________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
ાનસાર
ઓળખતું હતું? એક દિવસ સમગ્ર ભારત પર એ છવાઈ ગયા! પરંતુ એ દિવસ પણ જોવા મળશે કે એમને કોઈ ઓળખશે પણ નહીં! શુભ કર્મોના ઉદયની કાળમર્યાદા પૂરી થાય એટલી વાર છે! એવા તો કેટલાય મનુષ્યો પૃથ્વીના માલિક બન્યા અને ભૂંસાઈ ગયા. કર્મોની આ અગમ કળાનો તાગ કેવળજ્ઞાની સિવાય કોણ પામી શકે એમ છે?
‘એ કર્મનકી લખ લીલામેં લાખો હૈ કંગાલ.' ચઢતી-પડતી, હસતી-રોતી, ટેઢી ઈસકી ચાલ.' विषमा कर्मणः सृष्टिर्द्रष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः । । ४ । । १६४ ॥
અર્થ : ઊંટની પીઠના જેવી કર્મની રચના, જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી સરખી નહિ એવી જાણેલી છે; તેમાં યોગીને શી પ્રીતિ થાય?
વિવેચન : ઊંટનાં અઢાર વાંકાં!
કર્મોનાં અનંત વાંકાં!
સર્વત્ર વિષમતા! કર્મોની સર્જાયેલી દુનિયા વિષમતાઓથી જ ભરેલી છે. ક્યાંય એકસમાનતા નહીં, જાતિમાં વિષમતા, કુળમાં વિષમતા, શરીર...વિજ્ઞાન...આયુષ્ય...બળ...ભોગ...બધાંમાં વિષમતા! યોગીપુરુષને આવી કર્મસર્જિત દુનિયામાં પ્રીતિ શું થાય?
* વિશ્વમાં વિષમતાઓનું દર્શન કરો.
* વિષમતાઓનું દર્શન થયા પછી વિશ્વ ૫૨ પ્રીતિ નહીં થાય. * તેથી આસક્તિ ઘટશે.
* તેથી હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર ને પરિગ્રહનાં પાપ ઘટશે.
* ત્યારે મોક્ષ તરફ દૃષ્ટિ જશે.
* કર્મનાં બંધન તોડવાનો પુરુષાર્થ થશે.
* કોઈ પણ જીવના દુઃખમાં તમે નિમિત્ત નહીં બનો. * તમે યોગી બની જશો.
‘પ્રશમરતિ’ ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે :
For Private And Personal Use Only