________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક-ચિંતન
૨૪૧ સત્તાસ્થાને કેવી રીતે બેઠાં? એનું સમાધાન અહીં આપવામાં આવ્યું છે : અભ્યદય કરનારાં કર્મનો ઉદય થવાથી શુભ કર્મનો ઉદય મનુષ્યનો અભ્યદય કરી આપે છે! શુભ કર્મનો ઉદય રંકને અને જાતિહીનને પણ આવી જાય! બુદ્ધિરહિતને શુભ કર્મ સત્તાના સિહાસને બેસાડી દે!
આજે જાણે એ હીન જાતિવાળાઓનો, બુદ્ધિહીન મનુષ્યોનો સામુદાયિક શુભ કર્મોનો ઉદય આવી ગયો લાગે છે! આજે જોવા મળે છે કે હીન જાતિવાળો “સાહેબ” બનીને બેઠો હોય અને ઉત્તમ જાતિવાળો એને સલામ ભરતો પટાવાળો હોય! બુદ્ધિ અને જ્ઞાનરહિત “મોટો માણસ' બની ગયો. હોય અને બુદ્ધિશાળી તથા જ્ઞાની પુરુષ તેની “બેગ' ઉપાડીને ચાલતો હોય!
યશ, કીર્તિ, સૌભાગ્ય, સુસ્વર, આદેયતા... વગેરે કર્મો ઉચ્ચ જાતિ કે નીચ જાતિ જતાં નથી. તેવી રીતે અપયશ, અપકીર્તિ, દુર્ભાગ્ય, દુસ્વર, અનાદેયતાને ઉચ્ચ જાતિ સાથે આભડછેટ નથી! આજે સ્વતંત્ર ભારતનું જે બંધારણ અસ્તિત્વમાં છે, તે બંધારણ બનાવનાર ડૉ. આંબેડકર કોણ હતા? હરિજન હતા. એક વખતના કોંગ્રેસપ્રમુખ કામરાજ કોણ હતા? હરિજન હતા. ભારતના રાષ્ટ્રપતિ ડો. જાકીરહુસેન મુસલમાન હતા. ભારતનાં આવાં સર્વોચ્ચ પદોએ હીન ગણાતી જાતિના માણસો બેઠેલાં હતાં, તેમાં કયું કારણ છે? શુભ કર્મોનો ઉદય!
જ્યારે ઉચ્ચ જાતિના માણસોની કીર્તિ જાણે ખોવાઈ ગઈ છે! સૌભાગ્ય અને આદેયતા લુપ્ત થઈ ગઈ છે! શંકરાચાર્ય જેવા ત્રીસ કરોડ હિન્દુઓના ધર્મગુરુને સરકારે જેલમાં બેસાડી દીધા. એમની ગોરક્ષાની વાત સરકારે ન સાંભળી; તેમનો અનાદર કર્યો!
આ બધાં કર્મોના ખેલ છે! કોઈ હર્ષ-શોક કરવાની જરૂર નથી. એક કવિએ કહ્યું છે કે
કબહિક કાજી કબહિક પાજી,
કબહિક દુઆ અપભ્રાજી; કબહીક કીર્તિ જગમેં ગાજી,
સબ પુદ્ગલ કી બાજી! ક્યારેક તને કોઈ “કાજી' કહે છે, એક દિવસે તને જ તે “પાજી' કહે છે! ક્યારેક વળી તારી કીર્તિ જગતમાં ફેલાય છે! આ બધી કર્મ-પુદ્ગલની બાજી છે! આજે આવાં અનેક દૃષ્ટાંત જોવા મળે છે. કામરાજ કૉંગ્રેસ-પ્રમુખને કોણ
For Private And Personal Use Only