________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
જ્ઞાનસાર બહાર આવ્યા! શાથી? એમનાં શુભ કર્મોની કાળમર્યાદા પૂરી થઈ ગઈ... અશુભ કર્મોએ એમના આત્માનો કબ્બો લઈ લીધો!
હા, ફરીથી શુભ કર્મ ઉદયમાં આવી શકે. અશુભ કર્મોની કાળમર્યાદા પૂરી થઈ જતાં, શુભ કર્મ પુનઃ ઉદયમાં આવે!
બીજી પણ વિચિત્રતા છે, કે અમુક અશુભ કર્મોનો ઉદય ચાલુ હોય ત્યારે અમુક શુભ કર્મો પણ સાથે ઉદયમાં હોઈ શકે, પરંતુ પ્રતિપક્ષી નહીં! દા.ત., યશનો ઉદય હોય ત્યારે તેનું પ્રતિપક્ષી અપયશ-અશુભ કર્મ ઉદયમાં ન આવી શકે, પરંતુ રોગીપણું કે જે અશુભ કર્મ છે તેનો ઉદય હોઈ શકે, કારણ કે રોગીપણું એ યશનું પ્રતિપક્ષી કર્મ નથી!
કર્મો જ્યાં સુધી અનુકૂળ હોય છે ત્યાં સુધી જીવ ભલે ઉધમાત કરે, ગર્વ કરે; પરંતુ જ્યાં કમની વિષમતા પેદા થઈ, ત્યાં જીવના ઉધમાત મરી જાય છે, ગર્વ ગળી જાય છે ને તે જગતમાં હાંસીપાત્ર બને છે. કર્મોની વિષમતાઓનું વિજ્ઞાન મેળવો.
जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे ।
क्षणाद् रङ्कोऽपि राजा स्यात् छत्रछनदिगन्तरः ।।३ ।।१६३ ।। અર્થ : અભ્યય કરનારાં કર્મનો ઉદય હોય છે, ત્યારે જાતિ અને ચતુરાઈથી હીન હોવા છતાં પણ, રંક હોવા છતાં પણ, ક્ષણમાં છત્ર વડે ઢાંક્યું છે દિશામંડળ જેણે, એવો રાજા થાય છે.
વિવેચનઃ એની જાતિ હીન છે, એની ચતુરાઈનાં ઠેકાણાં નથી, છતાં તે ચૂંટણીમાં ચૂંટાઈ આવે છે! પ્રધાન બની જાય છે! આજે તો રાજા કોઈ બની શકતું નથી ને! રાજાઓનાં રાજસિંહાસન છીનવી લેવાયાં અને આજના પ્રધાનો રાજાઓના પણ રાજા બની ગયા!
“જાતિવિહીન સમાજરચનાનો આજે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે જે હીન જાતિના હતા તેમને ઈરાદાપૂર્વક ઉચ્ચ સ્થાને બેસાડવામાં આવે છે.. ને ઉચ્ચ જાતિના બુદ્ધિશાળી વર્ગને હીન દૃષ્ટિથી જોવામાં આવે છે... આંતરજાતીય લગ્નો કરવામાં આવે છે. ને એવાં લગ્ન કરનારને સરકાર બહુમાન આપે છે! પરંતુ ભલે હીન જાતિમાં જન્મેલાને ઉચ્ચ સત્તાસ્થાન આપવામાં આવે કે સન્માન આપવામાં આવે, “જાત એવી ભાત' પડ્યા વિના રહે ખરી?
પરંતુ આવું કેમ બન્યું? જાતિહીન અને ચતુરાઈરહિત મનુષ્યો ઉચ્ચ
For Private And Personal Use Only