________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૨૫
ને? હવે તો એ ભંડાર સ્પષ્ટ દેખાઈ ગયો ને! ખોલો એ ભંડારને! કેવી સમૃદ્ધિ છે એમાં?
કહો, હવે તમારે દેશ-વિદેશમાં રખડવાની જરૂર છે? શેઠ-શ્રીમંતોની ગુલામી ક૨વાની જરૂર છે? ધંધા-ધાપા કરવાની જરૂર છે? કુટુંબ-પરિવાર પાસે જવાનું મન થાય એમ છે? એ બધાંની સ્મૃતિ પણ આવે છે ખરી? બધું જ દિવ્ય અને ભવ્ય છે ને! પણ હા, જે ક્ષણે, જે સમયે બાહ્યદૃષ્ટિ ખૂલી ગઈઆ બધું જાદુની જેમ અલોપ થઈ જશે અને પહેલાંની જેમ ગામ-નગરની શેરીઓમાં ભટકતા ભિખારી થઈ જશો!
समाधिर्नन्दनं धैर्यं दम्भोलिः समताशचिः ।
ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ।। २ । । १५४ ।।
અર્થ : સમાધિરૂપ નન્દનવન, ધૈર્યરૂપ વજ્ર, સમતારૂપ ઇન્દ્રાણી અને સ્વરૂપના અવબોધરૂપ મોટું વિમાન-આ ઇન્દ્રની લક્ષ્મી મુનિને છે.
વિવેચન : મુનિરાજ! તમે ઈન્દ્ર છો...
તમારી સમૃદ્ધિનો, તમારી શોભાનો પાર નથી. તમારે કોઈ વાતે કી નથી. દેવરાજ ઈન્દ્રની સમૃદ્ધિ તમારી પાસે છે! આવો, તમારી સમૃદ્ધિનાં દર્શન કરો :
આ રહ્યું તમારું નંદનવન...! હા, આ નંદનવન છે... કેવું સુરમ્ય, લીલુંછમ અને આહ્લાદક છે! ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાધિના નંદનવનમાં તમારે રોજ વિશ્રામ કરવાનો. નંદનવનમાં પ્રવેશ્યા પછી તમને બીજું કંઈ જ યાદ નહીં આવે. નિત્ય નવીન-નૂતન ભાસતું આ નંદનવન તમારું છે... ગમી ગયું ને?
તમને શત્રુઓનો ભય છે? નિર્ભય રહો. તમારી પાસે મોટા મોટા પહાડોના ચૂરા કરી નાખે તેવું વજ્ર છે! તમારે ભય શાનો? ઇન્દ્ર વજને પાસે જ રાખે, તેમ હે મુનીન્દ્ર! તમારે પણ એ ધૈર્યરૂપી વજ્ર પાસે જ રાખીને ફરવાનું. પરિષહોના પહાડ તમારા માર્ગમાં આવે, તો ધૈર્યના વજ્રથી એને છેદી નાખજો અને આગળ વધજો. ક્ષુધા કે પિપાસા, શીત કે ઉષ્ણ, ડાંસ કે મચ્છ૨, સ્ત્રી કે સત્કાર... કોઈ પણ પરિષહથી તમારે દીનતા કે ઉન્માદ કરવાનો નહીં. ધૈર્યરૂપી વજ્રથી તેનો પરાજય કરી, વિજયી બનીને રહેવાનું.
તમને એકલવાયાપણું સાલે છે? કોઈ તમારા મનને બહેલાવનાર, મનને
For Private And Personal Use Only