________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
તત્ત્વદૃષ્ટિ
इन्द्रजालोपमाः स्वजनधनसंगमाः। સ્વજન-ધન-વૈભવ...બધાનો સંયોગ ઇન્દ્રજાળ જેવો છે!
‘તૈપુ રક્તિ મૂહસ્યમવર'.. તેમાં મૂઢ..વિવેકહીન મનુષ્યો જ મુગ્ધ થાય... રાગી થાય. અંતર્દષ્ટિ મહાત્મા, એ ઐશ્વર્યશાળીઓ-ધરતીને ધ્રુજાવનારાને અંતિમ અસહાય સ્થિતિમાં જુએ છે :
तुरगरथेभनरावृतिकलितम् दधतं ब्लमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनम् मैनिक इव लघुमीनम् ।।
विनय विधीयतां रे श्री जिनधर्मः शरणम्... જેમની પાસે હણહણાટ કરતું અશ્વદળ હતું, મદોન્મત્ત હાથીઓનું સૈન્ય હતું અને અપૂર્વ બળનું અભિમાન હતું, તેવા રાજાઓને પણ યમરાજા ઉપાડી ગયા! પેલો માછીમાર માછલીને જેવી રીતે પકડીને લઈ જાય તેવી રીતે! તે વખતે એ રાજાની કેવી દીન દશા!
તત્ત્વદૃષ્ટિ ઉત્તમ પુરુષને ક્ષણિક, ભયમુક્ત અને પરાધીન પુદ્ગલનાં ઐશ્વર્ય વિસ્મિત કરી શકતાં નથી. તેમને એવા ઐશ્વર્યનું કોઈ વિશેષ મૂલ્યાંકન હોતું જ નથી... તેમને તો મૂલ્ય હોય છે ચિદાનંદમય આત્મસ્વરૂપનું! આત્માના અનંત-અગોચર-અવિનાશી-અભય-સ્વાધીન ઐશ્વર્ય મેળવવા તેઓ દિનરાત ઝંખતા હોય છેઝંખના પૂર્ણ કરવા અવિરત ઝઝૂમતા રહે છે.
બહિદૃષ્ટિ જે ઐશ્વર્ય માથે ચઢાવવામાં ગૌરવ સમજે છે, ત્યાં અંતષ્ટિ તેને પગ નીચે કચડી નાખવામાં ગૌરવ અનુભવે છે.
भस्मना केशलोचेन वपुर्धतमलेन वा।
महान्तं बाह्यद्दग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।।७।।१५१ ।। અર્થ: રાખ ચોળવાથી, કેશનો લોચ કરવાથી અથવા શરીર ઉપર મેલ ધારણ કરવાથી બાહ્યદૃષ્ટિ મહાત્મારૂપે જાણે છે. તત્ત્વદૃષ્ટિ જ્ઞાનની પ્રભુતાથી મહાન જાણે છે. વિવેચન : મહાત્મા.
કોણ? શરીર પર રાખ ચોળી હોય, માથે જટા વધારી હોય, શરીર પર માત્ર લંગોટી હોય -- આને બાહ્યદૃષ્ટિ મનુષ્ય મહાત્મા માને છે.
For Private And Personal Use Only