________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
જ્ઞાનસાર નરકની વાસ્તવિક બિહામણી યાતનાઓના દર્શન માત્રથી મોહ નાશ પામે છે... - સ્ત્રીના હાવભાવ અને પ્રેમપ્રલાપની ભીતરમાં કપટની લીલા જોવા મળે છે, ને ત્યાં વૈરાગ્ય ઝબકી ઊઠે છે.
બહિષ્ટિ મનુષ્ય સ્ત્રીને માત્ર દૈહિક વાસનાઓને સંતોષવાનું પાત્ર માની, તેની સાથે અસભ્ય વ્યવહાર કરે છે. જ્યારે “સ્ત્રીનો આત્મા પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે તેવો ઉત્તમ છે' - આવી પવિત્ર દૃષ્ટિ સાથે એના દેહ તરફનું મમત્વ તોડી નાખવા “વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા પેટવાળી' કે નરકની દીવડી” અથવા “કપટની કોટડી' તરીકે તત્ત્વદૃષ્ટિવાળો મનુષ્ય જુએ, તો તે અયોગ્ય નથી. પ્રાયઃ કરીને સ્ત્રીના શરીરનાં, સ્ત્રીના સૌંદર્યનાં કે સ્ત્રીના હાવભાવોનાં વર્ણન એમણે ક્યાં છે કે જેઓ કામી, વિકારી અને દૈહિક વાસનાઓના ભૂખ્યા હતા. આજે પણ એવા જ બહિર્દષ્ટિ મનુષ્પો સ્ત્રીનાં બાહ્ય રૂપરંગ અને ફેશનપરસ્તીનાં વખાણ કરતાં ધરાતાં નથી. આમાં સ્ત્રીઓનું સન્માન નહીં, પરંતુ ઘોર અપમાન થાય છે.
સ્ત્રીદર્શનથી સ્વાભાવિક રીતે પેદા થતી વાસનાવૃત્તિને નાબૂદ કરવા, સ્ત્રીના શરીરની બીભત્સતાનો વિચાર કરવો જરૂરી મનાયો છે. પરંતુ સાથે સાથે સ્ત્રીના શરીરમાં પણ અનંત ગુણમય આત્મા વસેલો છે. સ્ત્રીને “રત્નખાણ' પણ કહેલી છે. એનો આદર કરવો પણ એટલો જ આવશ્યક છે. સ્ત્રીનું દર્શન થવા છતાં એના પ્રત્યે મોહવાસના ન જાગે, તેવું દર્શન કરવાનું કહેવામાં આવે છે. તેવું દર્શન અંતરદષ્ટિ વિના શક્ય નથી.
સંસારમાં “સ્ત્રી” તત્વ મહા મોહનું નિમિત્ત છે. એ મહાન વૈરાગ્યનું નિમિત્ત પણ બની શકે. તે માટે જોઈએ અંતરદષ્ટિ-તત્ત્વદૃષ્ટિ.
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदग्।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्वं कृमिकुलाकुलम् ।।५।।१४९ ।। અર્થ : બાહ્યદૃષ્ટિ સૌન્દર્યના તરંગ વડે પવિત્ર શરીર દેખે છે, તત્ત્વદૃષ્ટિવાળો કાગડાં અને કૂતરાંઓને ખાવાયોગ્ય કૃમિના સમૂહ વડે ભરેલું જુએ છે... વિવેચન : શરીર’! -
સ્ત્રી કરતાં પણ વધુ પ્રિય શરીર! * જુઓ પરિશિષ્ટ ૧૫.
For Private And Personal Use Only