SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અનાત્મશંસા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * શુદ્ધ પર્યાયોમાં સમાનતાનું દર્શન. * અશુદ્ધ પર્યાયોમાં તુચ્છતાનું દર્શન. મહામુનિને મધ્યસ્થભાવમાં રાખે છે, આત્મ-ઉત્કર્ષની ખીણમાં પડવા દેતું નથી. આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનું દર્શનચિંતન મહામુનિનું અમોઘ શસ્ત્ર બની જાય છે. અમોઘ શસ્ત્રના સહારે તેણે અભિમાનના પહાડને ચૂરી નાખ્યો હોય છે. મુનિવરો જો આ રીતે ચિંતનના ચીલે ચાલે તો અભિમાન તેમને જરાય અડપલું કરી ન શકે. સ્વોત્કર્ષનો વિષધર તેમની વાસથી જ દૂર નાસી જાય! क्षोभं गच्छन् समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुदबुदीकृत्य विनाशयसि किं मुधा ? ।। ७ । ।१४३ ।। વિવેચન : તે સાધુ છે. સાધુવેષની મર્યાદામાં છે... ૨૦૭ અર્થ : મર્યાદાસહિત હોવા છતાં પણ પોતાના અભિમાનરૂપ પવનથી પ્રેરિત થયેલો અને વ્યાકુળતાને પામતો, ગુણના સમુદાયને પરપોટારૂપ કરીને તેનો ફોગટ કેમ વિનાશ કરે છે? અભિમાનનો પ્રચંડ વાયુ ફૂંકાઈ રહ્યો છે... આત્મસમુદ્ર હિલોળે ચઢ્યો છે... ગુણસમૂહનું પાણી પરપોટા બની બની નાશ પામી રહ્યું છે... તને શોભે? તું તારી મર્યાદાઓ તો જો! અભિમાનનો વાયુ ગુણોનો નાશ કરે છે, આ હકીકત જો હૃદયમાં જચી જાય તો ગુણોનો નાશ અટકી જાય. ગુણોનું સંરક્ષણ કરવા અભિમાન નહીં કરવા પૂ. ઉપાધ્યાયજી મહારાજનું સૂચન છે. For Private And Personal Use Only તું સાધુનો સ્વાંગ સજીને અભિમાન કરે છે? શા માટે નાહક ગુણોનો નાશ કરે છે? અભિમાનથી ગુણોનો નાશ થાય જ છે, આ વાત તને નથી સમજાતી? તો પેલો જમાલિ કેમ ભવમાં ભટક્યો? અભિમાનથી તે કેવો ખળભળી ઊઠ્યો હતો! પરમ ઉપકારી પરમાત્મા વીર-વર્ધમાન સ્વામીના ઉપકારને ભૂલ્યો; વિનયને ચૂક્યો; પોતાની અલ્પજ્ઞતાનો ખ્યાલ ભૂલ્યો... કેટલા ગુણોનો નાશ કર્યો? અભિમાનના સુસવાટા અને સપાટામાં ભલભલી ગુણ-ઈમારતો કડડભૂસ થઈ જાય છે! અભિમાનના વાયુનાં ઉત્પત્તિસ્થાનો પર જ ‘સીલ’ મારી દો. કુળ, રૂપ, બળ,
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy