________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
અનાત્મશંસા નહીં, પરંતુ પાગલપણું લાગે છે. દુનિયા તને ભલે એ પુદ્ગલપર્યાયની સમૃદ્ધિથી સુંદર જુએ, સૌન્દર્યશાળી જુએ, નગરપતિ જુએ, પુત્ર...પુત્રી અને પત્નીથી પુણ્યશાળી સમજે... ધનના ઢગલાઓના માલિક તરીકે નીરખે... પરંતુ દુનિયાની એ પરપર્યાયના દર્શનથી જન્મેલી પ્રશંસા, કીર્તિ તારા એક રૂંવાડાને પણ ફરકાવી શકતી નથી, તને રોમાંચિત કરી શકતી નથી.. કારણ કે તેં મનમાં આત્મસાક્ષીએ નિર્ણય કર્યો છે. શરીરનાં રૂપ અને સૌંદર્ય, ધન-ધાન્ય અને પરિવાર-આ બધું જ યુગલનું ઉત્પાદન છે. મારું નથી. મારી સાથે એનો કોઈ સંબંધ નથી.'
પછી એના પર અભિમાન-ઉત્કર્ષ કરવાનું તો રહે જ ક્યાં? પર-પર્યાયનું મૂલ્યાંકન જ રહ્યું નહીં, પછી એના પર અભિમાન થાય જ નહીં.
છે પર-પુદ્ગલના પર્યાયોનું મૂલ્યાંકન ખતમ કરો. - જ્ઞાનાનંદને અખંડિત રાખો. આત્મપ્રશંસાના અભિમાનથી બચવા માટે આ બે ઉપાયો અહીં બતાવાયા છે. મોક્ષમાર્ગે જેમણે પ્રયાણ પ્રારંવ્યું છે, વ્રતો-મહાવ્રતોનું જીવન જીવવાની જેમણે પ્રતિજ્ઞા કરી છે, તપશ્ચર્યા અને ત્યાગનું જેઓ ઉચ્ચ મૂલ્યાંકન કરે છે, તેવા મુમુક્ષુ આત્માઓએ આત્મપ્રશંસાના પાપમાંથી બચવું જોઈએ. તે માટે તેમણે પરપુદ્ગલના પર્યાયોનાં ગુણગાન ગાવાં બંધ કરવાં જોઈએ અને જ્ઞાનાનંદમાં નિમગ્ન બની જવું જોઈએ.
સ્વપ્રશંસા સાથે પરનિંદા જોડાયેલી રહે છે, સ્વપ્રશંસા અને પરનિંદાનો આનંદ આવવા માંડ્યો એટલે જ્ઞાનાનંદ ઓછો થતો જવાનો. જેમ જેમ જ્ઞાનાનંદ ઓછો થતો જવાનો, તેમ તેમ આત્મતત્ત્વ ભુલાતું જવાનું અને પુદ્ગલતત્ત્વ જીવનમાં પ્રધાન બનતું જવાનું.
મુનિ તો ચિદાનંદઘન હોય. તેને પરપર્યાયનાં અભિમાન ન હોય. તે તો જ્ઞાનાનંદના મહોદધિમાં વિલસતો રહે. મુનિનું નિરભિમાનપણ આ માટે હોય છે!
शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः ।
अशुद्धाश्चाफ्कृष्टत्वाद् नोत्कर्षाय महामुनेः ।।६।।१४२ ।। અર્થ : વિચારેલા (શુદ્ધ નયની દૃષ્ટિથી) શુદ્ધ પર્યાયો દરેક આત્મામાં સભાનપણે
For Private And Personal Use Only