________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
નિર્ભયતા
વિવેચન : વાસનાઓના ઉદયોને જેણે નાચ્યા છે, કષાયોના ઉધમાતને જેણે કાબૂમાં રાખ્યો છે, હાસ્ય-રતિ-અરતિ અને શોક-ઉદ્વેગની આગ પર જેણે પાણી છાંટ્યાં છે, જેણે પોતાની દૃષ્ટિને સમ્યફ બનાવી છે, જ્ઞાન-ધ્યાન અને તપશ્ચર્યાનું બળ પ્રાપ્ત કર્યું છે, લોક-વ્યાપારને જેણે તિલાંજલિ આપી દીધી છે... તેવા મુનિને ભય ન હોય, ડર ન હોય. તે તો નિર્ભય અને નિત્યાનંદી હોય.
અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં ભય નથી. જ્ઞાન-સામ્રાજ્યની સરહદોની પેલે પાર ભય છે, શોક છે, ઉદ્વેગ છે. બસ, મુનિરાજે એ સાવધાની રાખવાની કે તે સરહદ ઓળંગીને પેલે પાર ન ચાલ્યા જાય. જ્ઞાન સામ્રાજ્યના સિંહાસને મુનિરાજ નિર્ભય છે. એ સામ્રાજ્યમાં વસનારાઓ માટે અભયદાતા છે. અભયનો આનંદ એ જ સાચો આનંદ છે. ભયભીત દશામાં આનંદ નથી હોતો; આનંદનો આભાસ માત્ર હોય છે, કૃત્રિમ આનંદ હોય છે.
અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં જ અભયનો આનંદ મળે.
For Private And Personal Use Only