________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् ।
अखण्डऽज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् । । ८ । । १३६ ।।
અખંડ જ્ઞાનનું રાજ્ય;
તેનો મહારાજા છે મુનિ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ : જેના ચિત્તમાં, જેને કોઈનાથી ભય નથી એવું ચારિત્ર પરિણમેલું છે, તે અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને ક્યાંથી ભય હોય?
વિવેચન : ચારિત્ર.
નસાર
અભય ચારિત્ર,
અભયનો ભાવ પ્રગટાવનારું ચારિત્ર જેની પાસે છે, તેને ભય શાનો? કારણ કે તે તો અખંડ જ્ઞાનરૂપી રાજ્યનો મહારાજા છે.
'क्षणविपरिणामधर्मा मर्त्यानामृद्धिसमुदया: सर्वे । सर्वे च शोकजनकाः संयोगा विप्रयोगान्ताः ।।
આવા રાજ્યનો આવો મહારાજા ભયભ્રાન્ત હોય? વ્યાકુળ હોય? તેને ભયપ્રેરિત વ્યથાઓ ન હોય. ચારિત્રની ભાવનાઓથી મુનિની મતિ ભાવિત થયેલી હોય. સમસ્ત સંસારના બાહ્ય ભૌતિક પદાર્થો અને કર્મજન્ય ભાવો તરફ એ આ દૃષ્ટિકોણથી જુએ છે :
प्रशमरतिः
અર્થ : મનુષ્યોની ઋદ્ધિ અને સંપત્તિ ક્ષણમાં બદલાઈ જવાના સ્વભાવવાળી છે. સર્વ ઋદ્ધિના સમૂહો શોકદાયી છે. સંયોગ વિયોગમાં પરિણમે છે.
વિવેચન : હવે એ ઋદ્ધિ કે સંપત્તિ ચાલી જાય, બદલાઈ જાય કે નાશ પામી જાય... એના ભવિષ્યનું જ્ઞાન જેને હોય છે તેને શોક થતો નથી, ભય લાગતો નથી.
ચારિત્રમાં સ્થિરતા લાવનારી અને અભય આપનારી બીજી પણ ભાવનાઓ મુનિ ભાવે છે :
भोगसुखैः किमनित्यैर्भयबहुलः कांक्षितः परायत्तः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ||
For Private And Personal Use Only
प्रशमरति
અર્થ : અનિત્ય, ભયભરપૂર અને પરાધીન ભોગસુખોને શું કરવાં? નિત્ય અભય અને આત્મસ્થ પ્રશમસુખ માટે જ પ્રયત્ન, પુરુષાર્થ કરવો જોઈએ.