________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૮૩ 'न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। “હે વીરપ્રભુ અમને કેવળ શ્રદ્ધાથી તમારા પર પક્ષપાત નથી, તેમ કેવળ કેષથી અન્ય ઉપર અરુચિ નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.”
જેવી રીતે યુક્તિના અનુસરણમાં મધ્યસ્થપણું રહેલું છે, તેવી રીતે સિદ્ધાંતને બતાવનાર પુરુષનું આપ્તપણે પણ મધ્યસ્થષ્ટિ વિચારે છે, જે વક્તા આપ્તપુરુષ-વીતરાગ છે, તેનું વચન સ્વીકાર્ય હોય છે. જે વક્તા વીતરાગ નથી, તેનું વચન-રાગ-દ્વેષથી યુક્ત હોય તેથી તે ત્યાજ્ય હોય છે. આ રીતે મધ્યસ્થ દૃષ્ટિ આત્માના ત્યાગ અને સ્વીકાર યથાર્થ હોય છે.
मध्यस्थया घशा सर्वेष्वपुनर्बंधकादिषु ।
चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् ।।८।।१२८ ।। અર્થ : બધાં અપુનબંધકાદિમાં મધ્યસ્થ દષ્ટિ વડે સંજીવનીનો ચારો ચરાવવાના દૃષ્ટાંતથી કલ્યાણ ઇચ્છીએ છીએ.
વિવેચન : સ્વસ્તિમતી નગરી. તેમાં બે બ્રાહ્મણ કન્યાઓ વસે, બંને વચ્ચે ગાઢ મિત્રતા. બંનેનાં લગ્ન થયાં અને જુદાજુદા ગામમાં તે ચાલી ગઈ. એક વાર બંને સખીઓ ભેગી થઈ અને પોતાના સુખ-દુઃખની વાતો કરવા લાગી.
એક સખીએ કહ્યું : “હું બહુ જ દુઃખી છું. મારો પતિ મારે આધીન નથી.” બીજી સખીએ કહ્યું : “તું ચિંતા ન કર. હું તને એવી જડીબુટ્ટી આપું છું, તે જડીબુટ્ટી તું તારા પતિને ખવરાવી દેજે. તારે વશ તે થઈ જશે.' તેણે જડીબુટ્ટી સખીને આપી અને તે ચાલી ગઈ. સખીએ પોતાના પતિને જડીબુટ્ટી ખવરાવી દીધી. તેનો પતિ બળદ થઈ ગયો! પતિને બળદ બની ગયો જોઈ
સ્ત્રી ઘણી જ દુ:ખી થઈ ગઈ. તે હમેશાં બળદરૂપ પતિને ચરાવવા લઈ જવા લાગી. તેની સેવા શુશ્રુષા કરવા લાગી.
એક દિવસની વાત છે.
સ્ત્રી બળદને એક ઝાડ નીચે ચરાવતી હતી. તે ઝાડ ઉપર એક વિદ્યાધર યુગલ બેઠું હતું. વિદ્યાધર બળદને જોઈને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો :
આ સ્વભાવથી બળદ નથી, પરંતુ જડીબુટ્ટી ખવરાવવાથી પુરુષ મટી બળદ થયો છે.”
વિદ્યાધરીએ કહ્યું : “તો એ હવે પુરુષ નહિ બને? બિચારી એની સ્ત્રી કેવી દુઃખી લાગે છે...!”
For Private And Personal Use Only