________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
જ્ઞાનસાર સમાધાન આ છે : સ્વ-સિદ્ધાંતનો સ્વીકાર માત્ર રાગથી અમે કરતા નથી. એ સ્વીકારની પાછળ વિશિષ્ટ વિચાર કરવામાં આવે છે. એવી રીતે પરસિદ્ધાન્તનો ત્યાગ માત્ર દ્વેષથી અમે કરતા નથી, પરંતુ એ ત્યાગની પાછળ એક વિશિષ્ટ દષ્ટિ રહેલી છે. અર્થાત્ સ્વીકાર અને ત્યાગ કરવા માત્રથી રાગ અને દ્વેષ સિદ્ધ થતા નથી. એ સ્વીકાર અને ત્યાગ કઈ વિશિષ્ટ દૃષ્ટિથી કરવામાં આવે છે, એના પર પક્ષપાત યા મધ્યસ્થતાનો નિર્ણય થઈ શકે. મધ્યસ્થષ્ટિથી વિચાર કરીને સિદ્ધાન્તનો સ્વીકાર અને ત્યાગ કરવામાં આવે છે. મધ્યસ્થષ્ટિ યુક્તિનું અનુસરણ કરે છે, જેમાં યુક્તિ દેખાય તે તરફ ઝૂકે છે. યુક્તિરહિત વચનનો ત્યાગ કરી દે છે... અમે તો સ્પષ્ટ કહીએ છીએ
'पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य वस्य कार्यः परिग्रहः ।।' અમને ભગવંત મહાવીરનો પક્ષપાત નથી, કપિલાદિમુનિઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિયુક્ત છે, તે અંગીકાર કરવા યોગ્ય છે.'
અમારી સામે બે વચન આવે છે. અમે બંનેને સાંભળીએ છીએ. જે વચન અમને યુક્તિવાળું લાગે છે તેનો અમે આદરપૂર્વક સ્વીકાર કરીએ, એ શું પક્ષપાત કહેવાય? અને જે વચન યુક્તિવાળું ન લાગે અને એનો અમે ત્યાગ કરીએ, એ શું દ્વેષ કહેવાય?
કોઈ પણ વચનની યુક્તિમત્તા વિચારવા તેની ત્રિવિધ પરીક્ષા કરવી જોઈએ; જેમ સુવર્ણની ત્રિવિધ પરીક્ષા કરવામાં આવે છે, તેવી રીતે.
परीक्षन्ते कषच्छेदतापैः स्वर्णं यथा जनाः । शास्त्रेऽपि वर्णिकाशुद्धिं परीक्षन्तां तदा बुधाः ।।१७।।
- અધ્યાત્મોનિકનું કષ, ચ્છેદ અને તાપ” - આ ત્રણ પ્રકારની પરીક્ષાથી શાસ્ત્રનાં વચન તપાસવાં જોઈએ. જે શાસ્ત્રમાં વિધિ અને પ્રતિષેધો ખુબ વર્ણવ્યાં હોય અને તે એકાધિકાર-પરસ્પર અવિરુદ્ધ હોય, તો તે “કષ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય. તે વિધિ અને નિષેધના પાલનનું યોગક્ષેમ કરનારી ક્રિયાઓ જો બતાવવામાં આવી હોય, તો તે શાસ્ત્ર “છેદ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય અને તેને અનુરૂપ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેને “તાપ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય કે જે સિદ્ધાંતો પરસ્પર-વિરોધી ન હોય.'
For Private And Personal Use Only