________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
મધ્યસ્થતા કહેવાય છે. “માર્ગપતિત” અને “માર્ગાભિમુખ” એ “અપુનબંધક' ની જ અવસ્થાઓ છે. માર્ગ એટલે ચિત્તનું સરળ પ્રવર્તન અર્થાતુ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિને યોગ્ય સ્વાભાવિક ક્ષયોપશમ. તેવા ક્ષયોપશમને પ્રાપ્ત કરનાર “માર્ગપતિતબંધક' કહેવાય છે. જ્યારે માર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય ભાવને પ્રાપ્ત થયેલ આત્મા “માર્ગાભિમુખ' કહેવાય છે.
આ બધાં જીવો પ્રાયઃ મધ્યસ્થષ્ટિવાળા હોય છે. સમકિતી, દેશવિરતિ અને સર્વવિરતિધર આત્માઓ પણ મધ્યસ્થષ્ટિવાળા હોય છે. સર્વવિરતિધર આત્માઓમાં “વિકલ્પી'' અને “જિનકલ્પી” એવાં બે ભેદ હોય છે, તે પણ મધ્યસ્થદષ્ટિ હોય છે. આ બધાંય મધ્યસ્થષ્ટિઓનું લક્ષ. સાધ્ય એક અક્ષય પરમ બ્રહ્મસ્વરૂપ છે અને ત્યાં એ સર્વે પોતપોતાનું અલગ અસ્તિત્વ પરમ બ્રહ્મમાં વિલીન કરી દે છે.
કોઈ પણ જીવ હોય, સાધનાની કોઈ પણ ભૂમિકા પર ઊભેલો હોય, પરંતુ જો તે મધ્યસ્થદષ્ટિવાળો છે, તો તે નિર્વાણનો અધિકારી છે. તેના પ્રત્યે તમારા હૃદયમાં મંત્રી અને પ્રમોદનો ભાવ હોવો જોઈએ.
આચારમાં રહેલી ભિન્નતા મધ્યસ્થષ્ટિમાં બાધક નથી. વેશની ભિન્નતાને પણ મધ્યસ્થતાની બાધક ન સમજવી જોઈએ. વેશ અને આચારના માધ્યમથી જીવની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય દોષપૂર્ણ હોય છે. મધ્યસ્થષ્ટિ ના માધ્યમથી જીવની યોગ્યતા-અયોગ્યતા પુરવાર થાય છે. કેવળજ્ઞાનના મહોદધિમાં મધ્યસ્થ દૃષ્ટિની ભિન્ન ભિન્ન નદીઓ જઈને મળે છે અને તે કેવળજ્ઞાનસ્વરૂપ બની જાય છે.
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् ।
न श्रयाम: त्यजामो वा किन्तु मध्यस्थया दशा ।।७।।१२७।। અર્થ : પોતાના શાસ્ત્રને કેવળ રાગથી સ્વીકારતા નથી, પરના શાસ્ત્રને કેવળ કેષથી તજતા નથી, પરંતુ મધ્યસ્થદષ્ટિ વડે સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ.)
વિવેચન : શ્રી ઉપાધ્યાયજી અહીં એક આક્ષેપનો પ્રત્યુત્તર આપે છે.. આક્ષેપ આ છે : તમે પક્ષપાત ત્યજી મધ્યસ્થભાવ રાખવાનો બીજા જીવોને ઉપદેશ આપો છો, તો તમે અન્ય દર્શનકારોનાં શાસ્ત્રોને કેમ નથી સ્વીકારતા અને તમારા પોતાનાં શાસ્ત્રોને કેમ સ્વીકારો છો? શું આ રાગ-દ્વેષ નથી?
૧૨. સ્થવિરકલ્પ-જિનકલ્પનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only