________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૫ યથાર્થ હતી... પરંતુ શિવભૂતિના મન-માંકડાએ એ યુક્તિ-ગાયના પૂંછડાને પકડી પોતાના તરફ ખેંચવા ! કર્યો... વસ્ત્ર ત્યજી દીધાં... નગ્ન બનીને નીકળી પડ્યો. બસ, પછી તો જેટલા તર્ક... યુક્તિ મળ્યા, પોતાના મંતવ્યને તે એકાંગી બનીને સિદ્ધ કરવા લાગ્યો. તેણે ન કર્યો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર, તેણે ન કર્યો ઉત્સર્ગ-અપવાદનો વિચાર, તેણે ન કર્યો સાપેક્ષવાદનો વિચાર! “વસ્ત્રધારી મોક્ષે ન જઈ શકે' - આ એકાંગી આગ્રહ તેને યથાર્થ વસ્તુસ્વરૂપના બોધથી વંચિત રાખ્યો. પરમાર્થ એ છે કે યુક્તિને પારખી, તેને અનુસરો.
"તયેષુ સ્વાર્થપુ પરવાનો
સમીત્ત જનો થી સ મધ્ય મહામુનિઃ Tરૂ સા૨રૂ II અર્થ: પોતપોતાના અભિપ્રાય સાચા; બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ (એવા) નયોમાં જેનું મન સમસ્વભાવવાળું છે તે મહાન મુનિ મધ્યસ્થ છે.
વિવેચન : દરેક નય પોતાના દૃષ્ટિબિંદુથી સત્ય હોય છે, પરંતુ જ્યારે તે એકબીજાના દષ્ટિબિંદુનું ખંડન કરે છે ત્યારે ખોટા હોય છે.
___ 'स्वाभिप्रेतेनैव धर्मेणावधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नयः' પોતાના અબિલકત ધર્મના નિર્ણયપૂર્વક વસ્તુનું જ્ઞાન કરવાનો જેનો અભિપ્રાય છે તેને નય કહેવાય.
જ્યારે એક નય વસ્તુના સામાન્ય અંશનું પ્રતિપાદન કરી, વસ્તુને તે સ્વરૂપે જોવાનો આગ્રહ કરે છે, બીજો નય વસ્તુના વિશેષ અંશનું પ્રતિપાદન કરી વસ્તુને તે રૂપે જોવાનો આગ્રહ કરે છે; ત્યારે જે પુરુષ મધ્યસ્થ નથી, તે કોઈ એક નયની વાત માની લઈ, બીજા નયના વક્તવ્યને મિથ્યા કહી દે છે, એક નયનો પક્ષપાતી બની જાય છે. પરંતુ મધ્યસ્થ સમ-મના મહામુનિ સર્વ નયોને સાપેક્ષ સમજે છે; અર્થાત્ દરેક નાના વક્તવ્યને તે સાપેક્ષદૃષ્ટિથી મૂલવે છે, તેથી “આ નય સાચો, આ નય ખોટો” એવો પક્ષપાત તે કરતો નથી.
'नियनियवयणिज्जसच्चा सव्व नया परवियालणे मोहा। ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा' ।।२८।।
- સન્માનિત સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ બીજા નયના વક્તવ્યનું ૧૧. નયવાદ-જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only