________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
स्थीयतामनुपालम्भं मध्यस्थेनान्तरात्मना । વેતવરક્ષેત્ર્યિતાં યાત્તિ વાપમ્ II TI99ી અર્થ : શુદ્ધ અંતરંગ પરિણામે મધ્યસ્થ થઈને, ઉપાલંભ ન આવે તેવી રીતે રહો. કુયુક્તિરૂપ કાંકરા નાખવારૂપ બાલ્યાવસ્થાની ચપળતાનો ત્યાગ કરો.
વિવેચન : “સદા આત્મસ્વભાવમાં રહેવું, ન રાગ કરવો, ન ષ કરવો.' - આનું નામ છે મધ્યસ્થતા. આવી મધ્યસ્થતા અંતરાત્માને પ્રાપ્ત થાય. ખરેખર, સાચો આનંદ આવી મધ્યસ્થ દૃષ્ટિમાં જ સમાયેલો છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગ અને દ્વેષ કરી, વિકૃત આનંદમાં મન બાહ્યાભા થાય, ભવાભિનંદી થાય. વળી, રાગી-દ્વેષી બાહ્યાત્મા પોતાના રાગદ્વેષને પ્રમાણિક કરાવવા કુતર્કનો આશ્રય લે છે, કે જે બાલસુલભ ક્રીડા કહેવાય. આવા જીવોને અનેક પ્રકારના ઉપાલંભ સાંભળવા પડે છે. મધ્યસ્થતાની સિદ્ધિ કરવા માટેક રાગ અને દ્વેષનો ત્યાગ,
અત્તરાત્મ-ભાવ, આ કુતર્કનો ત્યાગ.
આ ત્રણેય વાતોની આરાધના કરવાની છે. રાગ અને દ્વેષનો ત્યાગ કરવા માટે તેની પૂર્વભૂમિકાનો વિચાર કરવો જોઈએ.
પ્રાકત મનુષ્યોમાં રાગ-દ્વેષની જે પ્રચરતા દેખાય છે તેની પાછળ બે તત્ત્વો રહેલાં હોય છે : સુખાસક્તિ અને ભોગવાસના, ઈન્દ્રિયજન્ય સુખોમાં આસક્તિ અને ભોગની તીવ્ર વાસના. જ્યારે મનુષ્યને તે સુખ મળે છે અને તેની વાસના સંતોષાય છે, ત્યારે તે રાગી બને છે. જ્યારે તેને સુખ મળતું નથી અને વાસનાની પૂર્તિ થતી નથી ત્યારે તે હેપી બને છે. તેના રાગ અને તેનો વેષ જડ-ચેતન બંને પ્રત્યે હોય છે. આ રીતે રાગ-દ્વેષી પ્રાકૃત મનુષ્ય સુખભોગનો પક્ષપાતી હોય છે અને એ પક્ષપાતથી પ્રેરિત અનેક કુતર્ક કરતો ભટકે છે.
મધ્યસ્થ પુરુષ ઇન્દ્રિયજન્ય સુખો પ્રત્યે વિરક્ત હોય છે અને ભોગવાસનાથી વિમુખ થયેલો હોય છે. અહીં સુખ-ભોગ પ્રત્યે તેનો પક્ષપાત રહેતો નથી. તેથી સુખ-ભોગજન્ય રાગ-દ્વેષથી તે પર બને છે; પરંતુ એનો અર્થ એ નથી કે સંપૂર્ણ રાગ-દ્વેષથી તે પર બની જાય છે! ભોગ-સુખથી
For Private And Personal Use Only