________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મધ્યસ્થતા
તમારા કોઈ એક વિચારને કે વિચારધારાને વળગી રહીને એકાંગી ન બની જાઓ. મધ્યસ્થ રહો. કુતર્કોનો ત્યાગ કરો. એ ત્યારે જ બને કે જ્યારે તમારા રાગ-દ્વેષ મંદ પડચા હોય ને અંતરાત્મભાવમાં રમણતા થઈ હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'विभिन्ना अपि पन्थानः समुद्रं સરિતામિવ' કેટલી સરસ વાત કરી છે ગ્રંથકારે! નદીઓ ભલે જુદા-જુદા માર્ગે વહે, પરંતુ બધી જ સમુદ્રમાં જઈને મળે છે. તેમ સંસારમાં મધ્યસ્થ પુરુષોના જુદાજુદા માર્ગો અંતે તો અક્ષય પરમાત્માસ્વરૂપમાં મળી જાય છે.
મધ્યસ્થ ભાવને પામવા માટે આ આઠ શ્લોકો પુનઃ પુનઃ વાગોળ્યા કરો.
૧૩
For Private And Personal Use Only