________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૯૭ આત્મસમૃદ્ધિના ખજાના છે... પરંતુ એ ગિરિરાજના શિખર પર પહોંચવા કેટલીક અગત્યની વાતો લક્ષમાં રાખવાની છે :
- ધર્મધ્યાનમાં મગ્નતા, - તૃણ-મણિ-સમાનદષ્ટિ, - ભવોઢેગ,
- સ્વાધ્યાય-ધ્યાન-પરાયણતા, - ક્ષમાપ્રધાનતા,
- દઢ અપ્રમત્તતા, - નિરભિમાન,
- અધ્યવસાય-વિશુદ્ધિ, - માયારહિત નિર્મલતા, - વૃદ્ધિગત વિશુદ્ધિ, - તૃષ્ણાવિજય,
- શ્રેષ્ઠ ચારિત્રશુદ્ધિ, - શત્રુ-મિત્ર-સમભાવ, - લેશ્યા વિશુદ્ધિ, - આત્મારામ,
ત્યારે “અપૂર્વકરણ” રૂપ શિખર પર પહોંચી શકાય. “મારે વિવેક-ગિરિરાજના શિખર પર પહોંચવું છે”આવો દઢ સંકલ્પ ઉપરોક્ત પંદર વાતોને આત્મસાતુ કરવાનું બળ આપે છે. શિખર પર પહોંચ્યા પછી પણ ભેદજ્ઞાન...અપ્રમત્તભાવને જાગ્રત રાખવાનો હોય છે. જો ત્યાં પણ પ્રમાદ આવી જાય, શુદ્ધ ચૈતન્યભાવથી જરા પણ દૂર થઈ જવાય, તો પતન થયા વિના ન રહે.
ભેદજ્ઞાનની આ ઉચ્ચતમ્ ભૂમિકા પર કર્મોનો વિપુલ પ્રમાણમાં ક્ષય થાય છે - આત્મા નિજસ્વભાવમાં અપૂર્વ સત્ ચિદાનન્દ અનુભવે છે. પ્રશમનું પરમ સુખ પ્રાપ્ત કરે છે.
आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसंगतिम् ।
क्वाविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् ।।७।।११९।। અર્થ : જે આત્મામાં જ આત્મા છ કારકનો સંબંધ કરે એને જડ-પુદ્ગલમાં મગ્ન થવાથી અવિવેકરૂપ જ્વરનું વિષમપણું ક્યાંથી હોય?
શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ “કારક' છ હોય છે : (૧) કર્તા, (૨) કર્મ,
(૩) કરણ, (૪) સંપ્રદાન, (૫) અપાદાન, () આધાર.
જગતમાં વિદ્યમાન સર્વ સંબંધો આ છે કારકમાં પ્રાય: સમાઈ જાય છે. તે છ કારકનો આત્મામાં સંબંધ કરવાથી એક આત્માદ્વૈતની દુનિયા સર્જાઈ જાય છે... કર્તારૂપે આત્મા દેખાય ને કર્મરૂપે પણ આત્મા દેખાય! કરણરૂપે
For Private And Personal Use Only