________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જ્ઞાનસાર પર્યાયો છે. તે આત્માથી અત્યંત ભિન્ન છે, માટે દ્રવ્યપ્રાણોમાં આત્માની બ્રાન્તિ વર્જવી જોઈએ. આત્મા એ દ્રવ્યોમાણો સિવાય જીવે છે!
'जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति ।' આ પ્રમાણે શરીરાદિ પુદગલ દ્રવ્યોમાં આત્માની ભેદબુદ્ધિ કરી વિવેકી બનવું જોઈએ, એ પરમાર્થ છે.
इच्छन् न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः ।
परमं भावमन्विच्छन् नाविवेके निमज्जति ।।६।।११८ ।। અર્થ : પરમ ભાવોને નહિ ઇચ્છતો જીવ વિવેકરૂપ પર્વતોથી નીચે પડે છે અને પરમ ભાવને શોધતો અવિવેકમાં નિમગ્ન થતો નથી.
વિવેચન : શુદ્ધ ચૈતન્યભાવ... સર્વ વિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ જીવને વિવેકના ઉચ્ચતમ્ શિખર પર લઈ જાય છે. શુદ્ધ ચૈતન્યભાવની ઉપેક્ષા વિવેકના હિમગિરિ પરથી જીવને ગહન ખાઈમાં પટકી દે છે, કે જ્યાં અવિવેકરૂપી પશુઓનાં રાક્ષસી જડબાંઓમાં તે ચવાઈ જાય છે.
વિવેક-ગિરિરાજનું શિખર છે અપ્રમત્તભાવ. ગિરિરાજના શિખર પર અપ્રમત્ત આત્માને દુર્લભ સિદ્ધિઓ.. લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ વિશદ્ધ આત્મભાવમાં રમણ કરતો જીવ એ સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રત્યે ઉદાસીન હોય છે. અનાસક્ત હોય છે, શ્રી વાચકવર ઉમાસ્વાતિજીએ કહ્યું છે :
सातद्धि रसेष्वगुरुः प्राप्यर्द्धि विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।।२५६ ।। या सर्वसुरवरद्धिः विस्मयनीयापि सात्वनगारद्धे नार्हति सहस्त्रभागं कोटिशतसहस्त्रगुणिताऽपि ।।२५७ ।।
• प्रशमरति અન્ય જીવોને દુર્લભ એવી ઋદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામી, રસ-ઋદ્ધિશાતાગારવરહિત અણગાર તે લબ્ધિના સુખમાં આસક્ત થતો નથી, પરંતુ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે.'
સર્વદેવોની વિસ્મયકારી સમૃદ્ધિને લાખ વાર ગણવામાં આવે, છતાં કદીય સાધુની આધ્યાત્મિક સંપત્તિના હજારમા ભાગે પણ તે આવે નહિ!' વિવેક-ભેદજ્ઞાનના ગિરિરાજ પર આવું અનુપમ સુખ છે, આવી અનુત્તર
For Private And Personal Use Only