________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
વિવેક
तन्निश्चयो न सहते यदमूर्तो न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ।।३५।। उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्णमिति भ्रमः । तथा मूर्डिगसम्बन्धादात्मा मूत इति भ्रमः ।।३६ ।। न स्वयं न रसो गन्धो न स्पों न चाकृतिः ।
यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ।।३७।। અમૂર્ત આત્મા શું અંશે પણ મૂર્તતા ધારણ કરે? શું અગ્નિ અંશમાત્ર પણ શીતળતા ધારણ કરે? આત્મામાં મૂર્તતાની ભ્રમણા છે. જેવી રીતે ઉષ્ણ અગ્નિના સંબંધથી “ધી ઉષ્ણ છે' એવો ભ્રમ થાય છે, તેવી રીતે મૂર્ત શરીરના સંયોગથી “આત્મા મૂર્તિ છે” એવો ભ્રમ થાય છે. જેનો ધર્મ રૂપ નથી, રસ નથી, ગબ્ધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી કે શબ્દ નથી.. તે આત્મા મૂર્તિ કેવી રીતે?' શબ્દ, રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને આકૃતિ જડના ધર્મો છે; તે આત્માના નથી, તો પછી શરીરાદિ પુદ્ગલોમાં આત્મા કેવી રીતે માની શકાય?
આત્મા તો સચ્ચિદાનન્દ છે. સૂક્ષ્મથી સૂમ અને પરથી પણ પર છે; તેને મૂર્તતા સ્પર્શી પણ શકતી નથી.
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ।। ઇન્દ્રિયોને “પર” કહેવામાં આવે છે. ઇન્દ્રિયોથી મન પર છે. મનથી બુદ્ધિ “પર” છે અને બુદ્ધિથી “પર” આત્મા છે? એવા અમૂર્ત આત્મામાં મૂર્તતાનો આરોપ કરી અજ્ઞાની મનુષ્યો ભ્રમણામાં અટવાય છે.
પુદ્ગલ દ્રવ્યનો ધર્મ મૂર્તતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે પુદ્ગલોથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
ધર્માસ્તિકાયનો ધર્મ ગતિ હેતુતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
અધર્માસ્તિકાયનો ધર્મ સ્થિતિ હેતુતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે અધર્માસ્તિકાયથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, આ દ્રવ્યપ્રાણો પુદ્ગલના જ
For Private And Personal Use Only