________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
વિવેક
વિવેચન : યુદ્ધ કરે સૈનિકો, જય-પરાજય પામે સૈનિકો, છતાં પ્રજા શું બોલે છે? “રાજા જીત્યો, રાજા પરાજય પામ્યો...' સૈનિકોનો વિજય રાજામાં આરોપાય છે, સૈનિકોનો પરાજય રાજામાં આરોપાય છે.
તેવી રીતે અવિવેક કર્મ યુગલ-પાપ-પુણ્યનો ઉપચય-અપચય કરે છે, છતાં તેનો ઉપચાર શુદ્ધ આત્મામાં કરવામાં આવે છે! અર્થાત “આત્માએ પુણ્ય બાંધ્યું, આત્માએ પાપ બાંધ્યું...'
કર્મફત ભાવોનો કર્તા આત્મા નથી; આત્મા તો સ્વભાવનો કર્તા છે. પરંતુ આત્મા અને કર્મની એવી એકતા થઈ ગઈ છે કે કર્મકૃત ભાવોનું કર્તાપણું આત્મામાં ભાસે છે! આ જ અજ્ઞાનદશા છે અને આ અજ્ઞાનદશા જીવના ભવભ્રમણનું કારણ છે.
जन्मादिकोऽपि नियत: परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ।।१५।। आरोग्य केवलं कर्म-कृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्टविज्ञानाः भीमे संसारसागरे ।।१६।। उपाधिभेदजं भेदं वेत्त्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेद-मात्मन्वेवाभिमन्यतेः ।।१७।।
• अध्यात्मसार-आत्मनिश्चयाधिकारस “જન્મ. જરા..મૃત્યુ વગેરે કર્મોના પરિણામ છે. એ કર્મકૃત ભાવ અવિકારી આત્માના નથી. છતાં અવિકારી આત્મામાં કર્મકૃત વિકૃતિનો આરોપ કરનારા જ્ઞાનભ્રષ્ટ જીવો ભીષણ સંસાર-સાગરમાં ભટકે છે. આ રીતે કર્મકૃત વિકૃતિનો અવિકારી આત્મામાં આરોપ કરનારા, સ્ફટિક રત્નને લાલ-પીળું સમજનારા જેવા અજ્ઞાની છે! અજ્ઞાની નથી સમજતો કે સ્ફટિક જે લાલ-પીળું દેખાય છે, તે તેની પાછળ રહેલા લાલ-પીળા કપડાને લીધે છે! તેવી રીતે આત્મામાં જે જન્માદિ વિકૃતિ દેખાય છે તે કર્મફત છે, આત્માની નથી! પરંતુ અજ્ઞાનદશા આ વાત સમજવા દેતી નથી, એ તો મિથ્યા આરોપ કરીને જ રહે છે!
ભલે આત્મા અને કર્મ એક આકાશક્ષેત્રમાં રહે છે, પરંતુ આત્મામાં કર્મના ગુણો સંક્રમી શકતા નથી. આત્મા પોતાના ભવ્ય સ્વભાવથી સદૈવ શુદ્ધ છે, જેવી રીતે ધર્માસ્તિકાય. અર્થાતુ ધર્માસ્તિકાય પણ એ ક્ષેત્રમાં છે, જે
For Private And Personal Use Only