________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોન
૧૩૭ વિશુદ્ધ આત્મા છું...સચ્ચિદાનંદસ્વરૂપ છું...' આવું આત્મજ્ઞાન અને એવી આત્મશ્રદ્ધા જીવાત્માના માનસિક, વાચિક અને કાયિક આચરણને પ્રભાવિત કરે. તેના મનોરથો, કલ્પનાઓ, સ્પૃહાઓ...અભિલાષાઓ પુદ્ગલભાવોથી પરામુખ અને આત્મભાવોને અભિમુખ બની જાય તેની વાણી પરભાવોની નિંદા-પ્રશંસાથી નિવૃત્ત થઈ આત્મભાવની અગમ-અગોચર રહસ્ય-વાર્તાઓ કરતી થઈ જાય. તેનો ઇન્દ્રિય-વ્યાપાર યુગલોના શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખ-દુઃખથી નિવૃત્ત બની જાય છે અને આત્માભિવ્યક્તિના પુરુષાર્થમાં વળી જાય છે.
તેવા જ્ઞાન પર અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખીને બેસી ન રહેવું જોઈએ કે જે જ્ઞાન-શ્રદ્ધા દ્વારા વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન થતો હોય, આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા ન થતી હોય, પુગલ-પ્રેમ પાંગરી રહ્યો હોય, દારુણ દ્વેષ દેહમાં દાહ કરી રહ્યો હોય. મોહનો ગાઢ અંધકાર આત્મામાં છવાઈ રહેલો હોય. જ્ઞાનના તીક્ષ્ણ શસ્ત્રથી પુદ્ગલ-પ્રેમ પાંગરી રહ્યો હોય, દારુણ દ્વેષ દેહમાં દાહ કરી રહ્યો હોય.. મોહનો ગાઢ અંધકાર આત્મામાં છવાઈ રહેલો હોય. જ્ઞાનના તીણ શસ્ત્રથી પુદ્ગલ-પ્રેમના પાંગરેલા વૃક્ષને છેદી નાખવાનું છે. જ્ઞાનના શીતલ જલથી દારુણ દ્વેષની આગને બુઝાવી નાખવાની છે. જ્ઞાનના દિવ્ય પ્રકાશથી મોહના ગાઢ અંધકારને ભેદી નાખવાનો છે. આ બધું જ્ઞાન-શ્રદ્ધાનું ફળ છે.
હૃદયની પવિત્ર વૃત્તિઓ અને વચન-કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિઓ-વૃત્તિ અને પ્રવૃત્તિની વિશુદ્ધિ દિન-પ્રતિદિન વધતી જાય, તેનાથી આત્મા એક એકાન્ત સુખનો અનુભવ કરતો જાય છે. મધુરતમ્ શાંતિનો આસ્વાદ કરતો જાય છે. તાત્પર્ય આ છે : એવું જ્ઞાન અને એવી શ્રદ્ધાને હૃદયસ્થ કરવી જોઈએ કે જેનાથી વૃત્તિ અને પ્રવૃત્તિ આત્માભિમુખ બની જાય. દોષોનો હ્રાસ અને ગુણોનો વિકાસ થતો જાય.
यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् ।
तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।।६।।१०२ ।। અર્થ : જેમ સોજાના પુષ્ટપણાને અથવા વધ કરવા યોગ્ય પુરુષને કરેણની માળા વગેરેથી શણગારવો તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્માને વિશે જ સંતુષ્ટ થાય. વિવેચન : કોઈ મનુષ્ય છે, શરીર અશક્ત, સુકલકડી અને પાતળું છે. એ
For Private And Personal Use Only