________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૯ ઉત્પન્ન થયું? તેને દેખાશે કે કોઈ જડ, ચેતન પદાર્થની સ્પૃહા તેના ચિત્તમાં રહેલી છે અને તેના પરિણામે તે દુઃખી છે.
ભોગી હો યા યોગી હો, પરપદાર્થની સ્પૃહા જેના હૃદયમાં જાગી તે દુઃખી. પરપદાર્થની સ્પૃહા જેના હૃદયમાંથી દૂર થઈ તે સુખી. કંડરિક મુનિ
ત્યાં સુધી સુખી હતા, જ્યાં સુધી રાજાના ઘરનું ભોજન પ્રિય નહોતું લાગ્યું! રાજાનું ભોજન પ્રિય લાગી ગયું, તેની સ્પૃહા જાગી ગઈ, કે તરત તેમનું મન દુઃખી બની ગયું. તેમણે સાધુ-જીવનનો ત્યાગ કર્યો... સ્પૃહાને પૂર્ણ કરવા જતાં જીવનનો અંત આવી ગયો અને સાતમી નરકના દુઃખમાં તેઓ ધકેલાઈ ગયા. - પરપદાર્થોની હા ન જાગી જાય તે માટે જીવનમાં પરપદાર્થોનો પરિચય ઓછો કરવો જોઈએ. પરપદાર્થો દ્વારા પ્રાપ્ત થતા સુખની કામના ત્યજી દેવી જોઈએ. કારણ કે મનુષ્ય ત્યાં જ લપસી પડે છે...! પરપદાર્થ દ્વારા સુખ મળે છે'- આ કલ્પના એટલી બધી દઢ થઈ ગયેલી છે કે એ પ૨૫દાર્થની નિરંતર ઝંખના કરતો રહે છે અને જેમ જેમ એ પરપદાર્થો એને મળતા જાય છે, તેમ તેમ તેની ઝંખના-સ્પૃહા વધતી જ જાય છે. સાથે સાથે દુઃખ પણ વધતું જાય છે.... છતાં એ સમજી શકતો નથી કે એ દુઃખનું કારણ એની પરપદાર્થની સ્પૃહા જ છે! એ તો માની બેઠો છે કે “મને મારા મનગમતા પદાર્થો નથી મળતા માટે હું દુઃખી છું!” અને આ ધારણા એને એ મનગમતા પદાર્થો મેળવવાના પુરુષાર્થ તરફ પ્રેરે છે... દુ:ખ તેનું દૂર થતું નથી અને આ રીતે જ જીવન પૂર્ણ કરી અનંત વિશ્વમાં ખોવાઈ જાય છે.
“મસુરમ્' - પૂજ્ય ઉપાધ્યાયજીના આ વચન સાથે “ભક્તપરિજ્ઞાપત્રા” સૂત્રનું નિરવેરવો તરફ ઉત્તરમવો' વચન જોડી દઈએ. ‘નિરપેક્ષ આત્મા આ દુસ્તર ભવસમુદ્રને તરી જાય છે.' નિસ્પૃહતાના મહા સુખને અનુભવતો આત્મા દુઃખપૂર્ણ ભવોદધિને તરી જઈ પરમ સુખ... અનંત સુખને પ્રાપ્ત કરે છે..નિઃસ્પૃહતાની આ અંતિમ સિદ્ધિ છે અથવા કહો કે અંતિમ સિદ્ધિનો સીધો... સરળ અને સચોટ માર્ગ પણ નિઃસ્પૃહતા છે.
સ્પૃહા કરી કરીને મેળવેલા સુખ કરતાં સ્પૃહાને ત્યજીત્યજીને મેળવેલું સુખ સ્થાયી, અનુપમ અને નિર્વિકાર હોય છે - આ વાત પર વિશ્વાસ કરી, નિઃસ્પૃહતાના મહામાર્ગે પ્રગતિ કરીએ...
For Private And Personal Use Only