________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જ્ઞાનસાર એ ઐશ્વર્ય અને વિલાસિતાનું ઝેર એના અંગેઅંગમાં ફેલાઈ જશે, ત્યારે તેનું કારમું રુદન સાંભળનાર એ ચંદરવા નીચે કોઈ નહિ મળે.
“હું ખાઉં છું... હું ભોગવું છું. હું મકાન બનાવું છું...' આવા પ્રકારનું કિર્તત્વનું અભિમાન જીવને પગલપ્રેમી બનાવે છે. પુદ્ગલનો પ્રેમ કર્મબંધનમાં અસાધારણ કારણ છે. પુદ્ગલપ્રેમી જીવ કર્મોના લેપથી લપાતો જાય છે. એને પરિણામે અનેક દુઃખો તેના પર આવી પડે છે. આ વિષમતાને મિટાવી દેવા, તે વિષમતાનું મૂળ જ ઊખેડીને ફેંકી દેવું જોઈએ. તેના મૂળમાં છે પુદ્ગલભાવોમાં કર્તાપણાની બુદ્ધિ, તે બુદ્ધિનું પરિવર્તન કરવા માટે આ વિચાર કરવાનો છે કે – “હું પુદ્ગલભાવોનો કર્તા નથી.”
બીજી વાસના છે : પુદ્ગલભાવોના પ્રેરકપણાની.. “મેં દાન દેવરાવ્યું. મેં તપ કરાવરાવ્યું! મેં દુકાન કરાવી આપી! મેં ઘર બંધાવી આપ્યું!'... આ પ્રમાણે જીવ પોતાને પુદ્ગલભાવોનો પ્રેરક માનવાનું અભિમાન ધારણ કરે છે. આથી કર્મલેપથી લેપાવાનું બને છે. માટે હું પુગલભાવોનો પ્રેરક નથી..' આ ભાવના દઢ કરવાની છે. આ રીતે ત્રીજી વાસના છે : પુદ્ગલભાવોની અનુમોદના. પુદ્ગલભાવોની અનુમોદના એટલે આંતરિક પ્રશંસા તથા વાચિક પ્રશંસા. “આ બંગલો સુંદર છે! આ રૂપ અનુપમ છે! આ શબ્દ મધુર છે! આ રસ મધુર છે! આ સ્પર્શ સુખદાયી છે!... આ રીતે જીવ પુદ્ગલભાવોનો અનુમોદક બની કર્મલપથી લેપાય છે અને ભયંકર દુઃખો ભોગવે છે. આ માટે “હું પુદ્ગલભાવોનો અનુમોદક નથી.' આ ભાવનાને હજારો-લાખો વખત ઘોળી ઘોળીને રસાયણ બનાવવું પડશે. તો જ એ ભાવનાજ્ઞાન સિદ્ધ રસાયણ બની જશે. પછી કોઈ કર્મોનો લેપ આત્માને લાગી શકશે નહીં.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્વગુણનો જ કર્તા-ભોક્તા છે. પુદ્ગલભાવોનું કર્તુત્વ-ભોક્નત્વ તેના શુદ્ધ સ્વરૂપમાં છે જ નહિ. તો પછી પુગલભાવોમાં જીવ શાથી કર્તુત્વનું અભિમાન ધારણ કરે છે? એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય. તેનું સમાધાન એ છે કે જીવનો કર્મ સાથે અનાદિ સંબંધ છે. કર્મોના પ્રભાવ નીચે જીવ પરપુગલભાવો સાથે અનાદિકાળથી કર્તુત્વ-ભોક્નત્વ..વગેરે ભાવો ધારણ કરી રહ્યો છે. આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવનાથી કર્મોનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. તેથી પુદ્ગલભાવો પ્રત્યેની કર્તુત્વ..વગેરેની મિથ્યા ભ્રમણાઓ પણ ક્ષીણ થતી જાય છે. જેમ જેમ આત્માના શુદ્ધ સ્વરૂપનો રાગ વૃદ્ધિ પામતો જાય, તેમ તેમ જડ
For Private And Personal Use Only