________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૦૫ તો શું ચતુર્ગતિમય સંસારમાં રહેવું પડે ત્યાં સુધી કર્મના કાજળથી લેપાયા જ કરવાનું? એવો કોઈ ઉપાય નથી કે રહેવા છતાં લેપ ન લાગે? છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે : “જ્ઞાનસદ્દો ન નિષ્યતે”-જ્ઞાનસિદ્ધ આત્મા કાજળની કોટડી સમા સંસારમાં વસવા છતાં લપાતો નથી. આત્માના અંગપ્રત્યંગને જ્ઞાનરસાયણથી રસી દેવામાં આવે પછી કર્મોનું કાજળ આત્માને સ્પર્શી શકવા સમર્થ નથી રહેતું. કમલપત્ર પર જેમ જલબિંદુઓ ટકી શકતાં નથી. જલબિંદુઓથી કમલપત્ર જેમ લપાતું નથી, તેમ આત્મા પણ કર્મકાજળથી લપાતો નથી. પણ એ આત્માને જ્ઞાનરસાયણથી ભાવિત કરી દેવો જોઈએ. જ્ઞાનરસાયણથી આત્મામાં એવું પરિવર્તન આવે છે કે કર્મકાજળ તેને સ્પર્શી શકતું નથી.
જ્ઞાનરસાયણ સિદ્ધ કરવું જરૂરી છે. તે માટે એક વૈજ્ઞાનિકની ઢબે પ્રયોગમાં લાગી જવું જોઈએ. ભલે એ પ્રયોગમાં વર્ષો લાગી જાય..પરંતુ આ ભયંકર સંસારમાં જ્ઞાનરસાયણના સહારા વિના કર્મોના દારુણ કાજળથી બચવું અશક્ય છે. જ્ઞાનરસાયણને સિદ્ધ કરવાના પ્રયોગોની રીત આ ગ્રંથમાં આલેખાયેલી પડી છે. આપણે તે રીતને અજમાવવાની છે, અને પ્રયોગ સિદ્ધ કરીને જ જંપવાનું છે. બસ, જ્ઞાનરસાયણ સિદ્ધ થયા પછી નિર્ભયતા છે!
नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च।
नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम्? ।।२।।८२ ।। અર્થ ? હું પૌલિક ભાવોનો કરનાર, કરાવનાર અને તેને અનુમોદન આપનાર નથી, એવા વિચારવાળો આત્મજ્ઞાની કેમ લેપાય?
વિવેચન : જ્ઞાનરસાયણની સિદ્ધિનો પ્રયોગ બતાવવામાં આવે છે : “હું પુદ્ગલભાવોનો કર્તા નથી. હું પુગલભાવોનો પ્રેરક નથી. હું પુલભાવોનો અનુમોદક પણ નથી...' આ વિચારથી આત્મતત્ત્વને ભાવિત કરવાનું છે તે માટે વારંવાર આ વિચાર કરવાનો છે.
પુદ્ગલભાવોમાં નિરંતર મનોહર રમણ કરતો જીવાત્મા, એ પુગલભાવો દ્વારા સર્જાતી હૃદયવિદારક યાતનાઓ ભૂલી જાય છે. પુદ્ગલભાવોનું સુખ એ તો દુઃખ ઉપરનું ક્ષણજીવી ઝીણું આચ્છાદન છે. કૂર કર્મોના કઠોર પ્રહારો સામે તે ટકી શકતું નથી... ચિરાઈ જાય છે અને જીવાત્મા રુધિરવર્ષના કન્દનના પડઘાં પાડે છે. પગલિક સુખોના આશાભર્યા આકાશના ચંદરવા નીચે ભલે ઐશ્વર્ય અને વિલાસિતામાં જીવ મહાલે...હલાહલથીય વધુ દારુણ
For Private And Personal Use Only