________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે પ્રીતિ કરવી પડે. આ શાન્ત રસના “આલંબન વિભાવો' છે.
આ બધું કરવા છતાં “રસ ની ઉદીપના તો ત્યારે અને ત્યાં થાય કે જ્યાં યોગી પુરુષોનું પુણ્ય-સાંનિધ્ય હોય... પવિત્ર.. શાંત અને સાદો આશ્રમ હોય... કોઈ રમ્ય તીર્થભૂમિ હોય, લીલીછમ હરિયાળી છવાયેલી હોય, ઝરણાંનાં નીર ખળખળ વહી રહ્યાં હોય... સંત-સાધુપુરુષોનાં મુખમાંથી શાસ્ત્ર-સ્વાધ્યાયનો ધ્વનિ નીકળી રહ્યો હોય...પર્વતોનાં શિખરો પર મંદિરોની ધજાઓ ફરફરી રહી હોય... ઘંટનાદ થઈ રહ્યો હોય, આ બધા શાન્ત રસના ઉદ્દીપન વિભાવો છે.
ત્યારે “શાન્ત રસ પેદા થાય છે અને એનો રસાસ્વાદ માણતો યોગીરાજ વિશ્વના પરમ સુખનો અનુભવ કરે છે. આ પરમ સુખ, પરમ તૃપ્તિનો અનુભવ તો શું, પરંતુ તેની ઝાંખી છાયા પણ બિચારી ઇન્દ્રિયોને હોતી નથી. પરસના ભોજનનો રસ પણ શાન્ત રસની આગળ ફિક્કો, નિષ્માણ અને નિર્જીવ છે. ટ્વેિન્દ્રિયને શાન્તરસની મહાનતમ્ અનુભૂતિ ક્યાંથી હોય?
અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “શાન્ત રસનો આસ્વાદ' એવો પ્રયોગ કર્યો છે. “રસને “સાહિત્યદર્પણ'માં છે વિશેષણો આપવામાં આવ્યાં છે :
(૧) સત્ત્વોટેર : બાહ્ય વેદનીય વિષયોથી વિમુખતા કરાવનાર કોઈ આંતરિક ધર્મ તે સત્વ, રજો અને તમો ભાવનો પરાભવ કરીને સત્ત્વનો ઉત્કટ ભાવ પ્રગટે છે. તથાવિધિ અલૌકિક કાવ્યના અર્થનું પરિશીલન આ સત્ત્વોદ્રેકમાં હેતુ બને છે.
(૨) અરવલ્ડ - વિભાવ, અનુભાવ, સંચારી અને સ્થાયી, આ ચારેય ભાવો એકરસરૂપે (જ્ઞાન અને સુખરૂપે) બની જાય છે, કે જે ચમત્કારાત્મક હોય છે. (૩) પ્રવીત્વ : રસ સ્વયં જ્ઞાનરૂપ-સ્વપ્રકાશી છે. (૪) માનન્ટ : રસ આનંદરૂપ છે. (૫) fમય : રસ સ્વયં સુખરૂપ છે. (૯) સોવોત્તરમારHIM : વિસ્મયનો પ્રાણ રસ છે.
સ્વાદ ની પરિભાષા કરતાં “સાહિત્યદર્પણ'કારે લખ્યું છે કે “સ્વીર વાધ્યાર્થસખેરાવાત્માનન્દસમુદ્રમવા” કાવ્યર્થના પરિશીલનથી આત્માનંદનો થતો જે સમુદ્ભવ, તેનું નામ સ્વાદ. શાન્ત રસનાં મહાકાવ્યોના પરિશીલનથી
For Private And Personal Use Only