________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર જ્યાં સ્વગુણોમાં... –
યિકાનંદ્ર માં પરમ મસ્તી જામી ગઈ. ત્યાં પરમ બ્રહ્મના શબ્દ, પરમ બ્રહ્મનું સૌન્દર્ય, પરમ બ્રહ્મનો રસ, પરમ બ્રહ્મની સુગંધ અને પરમ બ્રહ્મના સ્પર્શની અવિનાશી સૃષ્ટિમાં પહોંચી ગયા, ત્યાં ક્ષણિક તૃપ્તિ દેનાર જડ પદાર્થોના શબ્દાદિ વિષયોનું શું પ્રયોજન છે? નંદનવનમાં ગયા પછી ઉકરડાની શી જરૂર? કિન્નરીઓનાં સંગીત મળ્યા પછી ગર્દભોના સૂરોનું શું પ્રયોજન? અપ્સરાઓનાં રૂપ જોવા મળ્યા પછી ભીલડીઓનાં રૂપ શા કામના? કલ્પવૃક્ષનાં ફળોના રસ મળ્યા પછી લીમડાના રસની શી આવશ્યકતા? દેવાંગનાઓનું સ્પર્શસુખ મળ્યા પછી હાડ, માંસ ને રુધિરથી ભરેલી મનુષ્ય સ્ત્રીઓના સંગની શી જરૂર? જ્ઞાની પુરુષો તેમનું નામ કે જેમના મનમાંથી શબ્દાદિ વિષયોની અપેક્ષા તૂટી ગઈ હોય, તેનું આકર્ષણ મરવા પડ્યું હોય તેના સંગની-ઉપભોગની વૃત્તિ નષ્ટપ્રાય થઈ ગઈ હોય. જ્ઞાની બનવા માટે પણ આ જ પરમ ઉપાય છે.
या शान्तैकरसास्वादाद् भवेत् तृप्तिरतीन्द्रिया।
सा न जिवेन्द्रिय-द्वारा षड्रसास्वादनादपि ।।३।।७५ ।। અર્થ : જે શાન્તરૂપ અદ્વિતીય રસના અનુભવથી ઇન્દ્રિયને અગોચર (કેવળ અનુભવગમ્ય) તૃપ્તિ થાય છે, તે જિહુવેન્દ્રિય વડે છ રસના ભોજનથી થતી નથી.
વિવેચન : ન ઈષ્ટ વિયોગનું દુઃખ, ન ઈષ્ટ સંયોગનું સુખ, ન કોઈ ચિત્તા સંતાપ કે ન પૂગલના રાગ-દ્વેષ! ન કોઈ ઇચ્છાઓ કે ન કોઈ
અભિલાષાઓ! જગતના સર્વ ભાવોમાં તેની સમષ્ટિ! આનું નામ છે શાન્ત રસ,
न यत्र दु:खं न सुखं न चिन्ता । न रागद्वेषो न च काचिदिच्छा । रसः स शान्तः कथितो मनीन्द्रैः, सर्वेषु भावेषु समप्रमाणः ।।
- સાહિત્ય આવો શાન્ત રસ જન્મ “શમના સ્થાયીભાવમાંથી. હા, પુરુષાર્થ કર્યા વિના એની મેળે તે નથી જન્મી જતો-તે માટે અનિત્ય, અશરણ. એકત્વ, અન્યત્વ, સંસાર... વગેરે ભાવનાઓના સતત ચિંતન દ્વારા વિશ્વના પદાર્થોની નિઃસારતા.. નિર્ગુણતાનો ખ્યાલ દૃઢ કરવો પડે અને સાથે સાથે પરમાત્મસ્વરૂપ
For Private And Personal Use Only