________________
ચાર પગથિયાં ચડવા તૈયાર ?
હ હમણાં જ તો તમે ટાઇૉઇડની બીમારીમાંથી ઉઠ્યા હતા. શરીરમાં હજી જોઈએ તેવી શક્તિ પણ નહોતી. ખોરાક પણ હજી બરાબર લઈ શકાતો નહોતો અને છતાં અચાનક તમારા મિત્રો પાલીતાણાની યાત્રાએ જઈ રહ્યા હતા અને એ સહુએ તમારી સમક્ષ પડકાર ફેંક્યો, ‘શત્રુંજયની યાત્રા તું ચાલીને ચડીને કરે તો અમે માનીએ કે તું સાચો મર્દ છે. સાચો પ્રભુનો ભક્તછે.'
અને તમે એ પડકાર ઝીલી લીધો. પાલીતાણાની યાત્રા ચાલીને-ચડીને કરી લીધી. સાંભળ્યું છે કે તમારા સગાભાઈ સાથે છેલ્લા કેટલાક વખતથી બોલવા વ્યવહાર નથી. એના ઘરે તમે વરસોથી ગયા જ નથી.
જવાબ આપો. અશક્ત શરીરે શત્રુંજયનો પર્વત તમે ચડી ગયા છો. મન મજબૂત બનાવીને નાના ભાઈના ઘરનાં પાંચ પગથિયાં ચડી જવા તમે
તૈયાર ખરા
૯૫