________________
ધર્મ સાથેનો વ્યવહાર કેવો ? સ્વજન જેવો કે પરજન જેવો ?
ઘરે આવી ચડેલા અજાણ્યા આંગનક પ્રત્યે શરૂઆતમાં એવી કોઈ આત્મીયતા દર્શાવી નહીં પરંતુ એકાદ કલાક બાદ ખ્યાલ આવ્યો કે ઘરે જે ભાઈ આવ્યા છે એમના ચકી જ આ ધરની બધી જાહોજલાલી ઊભી છે અને એ જ પળે એમના પ્રત્યે આત્મીયતાનો એક ભાવ ઊભો થઈ ગયો અને પછી તો એમની સરભરામાં પાછા વળીને જોયુંજનહીં. સાચું બોલો.
શું શરીરની તંદુરસ્તી કે શું મનની સ્વસ્થતા, શું સંપદ્મિની પ્રાપ્તિ કે શું પરિવારજનોની વફાદારી, આ બધાંયના મૂળમાં ‘ધર્મ’ જ છે એનો આપણને બરાબર ખ્યાલ છે ખરો ? જો હા, તો એની સાથેનો આપણો વ્યવહાર આત્મીયજનનો છે કે પછી પરાયાજનનો છે ? આ પ્રશ્નનો અંતઃકરણ પાસેથી સાચો જવાબ મેળવી લેજો.
૪૯