________________
આત્માને સાચવી લેવા ત્યાગ માટે મન તૈયાર ?
તબિયત અચાનક એકદમ બગડે છે અને માણસ નજીકમાં રહેલ દવાખાને પહોંચી જઈને અજાણ્યા એવા પણ ડૉક્ટરને પોતાની તબિયત બતાવીને એ માગે એટલા રૂપિયા આપી દે છે.
ઑફિસમાં અચાનક “રેડ’ પડે છે અને માણસ અજાણ્યા એવા પણ ઑફિસરના હાથમાં બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જાય છે. પ્રશ્ન તો મનમાં એ ઊઠે છે કે તબિયત સાચવવા અજાણ્યા , ડૉક્ટરને અને પૈસા સાચવવા અજાણ્યા ઑફિસરને બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જતો માણસ પોતાના આત્માને સાચવી લેવા, પોતાના હૃદયના કોમળ ભાવોને સાચવી લેવા અજાણ્યા ગરીબ માણસને કે ભિખારીને બે-પાંચ રૂપિયા આપી દેવા તૈયાર કેમ નહીં થતો હોય? અંતઃકરણ પાસેથી આ પ્રશ્નનો જવાબ મેળવી લેજો.