________________
અભિપ્રાયમાં રાજી કે અનુભવમાં?
શરીરમાં રોગ છે પણ એનું ચોક્કસ નિદાન થતું નથી. તમે ડૉક્ટર પાસે જાઓ છો. બધા જ રિપોર્ટ NORMAL આવે છે. ડૉક્ટર તમને કાંઈ જ નથી’ નું સિર્ટિફિકેટ આપી દે છે અને તોય તમારા ચહેરા પર ચમક નથી આવતી. કારણ ? ડૉક્ટરના અભિપ્રાય કરતા તમને તમારો અનુભવ બિલકુલ અલગજ લાગે છે. આપણું અંતઃકરણ સ્પષ્ટ કહે છે કે આપણામાં ઠીકઠીક પ્રમાણમાં બગાડો છે જ અને આપણાં બાહ્યાચરણને જોનારાઓ એમ કહી રહ્યા છે કે ‘તમે તો ખૂબ સજ્જન માણસ છો.' જવાબ આપો. ‘સર્જન’ હોવાના એ અભિપ્રાયો આપણને સાચા લાગે છે કે પછી ‘દુર્જન’ હોવાનો આપણો અનુભવ જ આપણને સાચો લાગે છે? સારા અભિપ્રાયથી આપણે રાજી કે સારા બની જવાના આપણા પુરુષાર્થને વેગ આપવાના
આપણા પ્રયાસો?