________________
આકર્ષણ નથી, અફસોસ નથી
ગરીબના ઘરમાં રહેલ નળ ભલે લોખંડનો હતો અને શ્રીમંતના
બાપરૂમમાં રહેલ નળ ભલે સોનાનો હતો, એ બંને પ્રકારના નળમાંથી જે પાણી આવતું હતું એમાં કોઈ જ તફાવત નહોતો.
જ
ગરીબના પેટમાં ભલે રોટલો જ જતો હતો અને શ્રીમંતના પેટમાં ભલે ભરફી જતી હતી. એ બંનેના પેટમાં બનતા મળમાં કોઈ જ ફરક નહોતો.
ગરીબનો અગ્નિસંસ્કાર ભલે જંગલનાં લાકડામાં થયો હતો અને શ્રીમંતનો અગ્નિસંસ્કાર ભલે ચંદનનાં લાકડામાં ધો હતો, એ બંનેના શરીરની થઈ ગયેલ રાખમાં કોઈજતફાવત નહોતો.
જવાબ આપો.
હાય-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા આંખ સામે અનેકવાર
જોયા પછી હવે મનમાં શ્રીમંતાઈનું કોઈ આકર્ષણ રહ્યું નથી અને ગરીબીનો કોઈ અફસોસ રહ્યો નથી એવું કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ છે ખરું ?