SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. વિચારોનું પ્રદૂષણ તમારા આત્માનો સર્વનાશ કરે છે. પરમાત્માની પ્રાર્થનામાં કરવામાં પણ દરિદ્રતા દેખાય છે. સંસારમાંથી શૂન્ય કેવી રીતે બનાય તે અંગે વિચારો. પરમાત્માને પ્રાર્થના કરતી વખતે માત્ર પરમાત્મા જ દેખાવા જોઈએ. એના દ્વારા સ્વયંના આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવી એ તમારૂ લક્ષ હોવું જોઈએ.” “જીવનમાં કરેલી સાધના અને તપશ્ચર્યા નિષ્ફળ ન જાય તે માટે જાગૃત બનો. પ્રવચનો ફક્ત સાંભળવા માટે નહી, આચરણ માટે છે. સાંભળ્યું તો અત્યાર સુધી ઘણું બધું, પણ જીવનમાં આચરણથી શૂન્ય રહ્યા છીએ. તમે શું જાણો છો એ નહીં પણ શું કરો છો એ બહુ મહત્વનું છે તમારી સામાયિક પણ એવી હોવી જોઈએ કે, દુશમન પણ મિત્ર બની જાય. ભૂતકાળમાં આવી ઘટનાઓ બનેલી છે. પરિવાર પ્રેમનું મંદિર બની જાય, વ્યાપાર પણ ધર્મનો વ્યાપાર બની જાય, પ્રમાણિકતા એ પરમાત્મા સુધી પહોંચવાનું સાધન બની જાય એવું થવું જોઈએ.” “જિનમંદિરમાં દર્શન કર્યા પછી બધા આત્મામાં પરમાત્મા નજરે ચડવા જોઈએ, તો જ એ દર્શન કર્યા સફળ થયા કહેવાય. દર્શન કર્યા પછી નેત્રનો વિકાર નાશ પામવો જોઈએ. પરમાત્માએ જે કહ્યું છે તે જ સંપૂર્ણ જ્ઞાન છે એવી શ્રદ્ધા કેળવો. હું જે કહું છું એ કિંમતી માલ તો બધો પરમાત્માનો છે, ફક્ત શબ્દોનું પેકીંગ મારું છે. આજ-કાલ લોકો માલ નહી પણ પેકીંગને વધારે મહત્વ આપે છે. ક્યા રસ્તે આપણે ચાલવું જોઈએ એનો આજે પ્રારંભ થાય છે.” “ઉમાસ્વાતિ મહારાજ દસ પૂર્વના જ્ઞાતા હતા. એ મહાપુરૂષે શાસ્ત્રોનું દોહન કરીને આપણને સમજાવ્યું છે કે જીવન વિકાસનો એક જ રાજમાર્ગ છે – સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. ખરેખર એ જ મેળવવા જેવું છે. મોક્ષનું જન્મસ્થાન સમ્યક દર્શન છે. જીવનના વિકાસની આધાર શિલા સમ્યક દર્શન છે. અંતરથી શુદ્ધ થયા વગર સાધનામાં પ્રવેશ નથી મળતો. માટે પહેલા શુદ્ધ બનવા માટે પ્રયત્ન કરો. સમ્યક દર્શન દ્વારા શુદ્ધ બનો.” “જીવનમાંથી અંધશ્રદ્ધા દૂર કરો. જેમાં કોઈ તથ્ય કે સત્ય નથી એવી વાતો ઉપર વિશ્વાસ ન કરો. અંધશ્રદ્ધા ઉપર પરમાત્માએ સૌથી પહેલો પ્રહાર કર્યો છે. પરમાત્માએ કહેલી વાતો સાચી જ છે એમ સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા કેળવો. પૂર્ણ વિશ્વાસપૂર્વક પરમાત્માના શબ્દો ગ્રહણ For Private And Personal Use Only
SR No.008904
Book TitleJivan Yatra No Rajmarg
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherVishwa Maitri Jain Tirth Borij
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy