________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી પહોંચી શકો, માત્ર થોડું પુણ્ય બંધાશે એટલું જ.'
બહારના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ તમને વારંવાર ડીસ્ટર્બ કરે છે. અનાદિકાળના સંસ્કારો જલ્દીથી જતા નથી. એને પ્રયત્નપૂર્વક દૂર કરવાના. અનાદિકાળથી કર્મનો અધિકાર તમારા આત્મા ઉપર છે. મહાવીર પરમાત્માએ ૨૭ ભવ કરવા પડ્યા હતા, ત્યારે એ મોક્ષ પામ્યા હતા. સર્વોચ્ચ આરાધના કરવાવાળા આત્માને પણ ચઢાવ ઉતાર જોવો પડ્યો હતો. તો પછી આપણી તો એ સર્વજ્ઞ આગળ કોઈ હેસિયત નથી કે, એક ભવમાં બધું ક્ષય થઈ જાય. પર્વ તો જીવનનો પરમ મિત્ર છે અને એનો પ્રાણ ક્ષમાની મંગળ ભાવના છે. ક્ષમા છે ત્યાં લાભ જ લાભ છે, એ વિરત્વનું લક્ષણ છે. શક્તિ હોવા છતાં ક્ષમાની મંગળ ભાવના ધારણ કરે એ આત્માનું આધ્યાત્મિક મૂલ્ય બહુ છે. પરમાત્માએ ઘણા ઘોર ઉપસર્ગો સહન કર્યા છે છતાં એમના મુખેથી ક્યારેય અપશબ્દો નીકળ્યા નથી.
યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો સહેલો છે પણ આત્મા અને કષાયો ઉપર વિજય મેળવવો બહુ અઘરો છે.” “પ્રાથમિક કક્ષાનું જ્ઞાન ન હોય, અને યુનિવર્સિટીની ડીગ્રીની ખેવના રાખો છો.”
એમ તમારા માથા ઉપર તમારૂ રાજ ચાલતું નથી અને બહારનું બધું જીતવા અને કબજે કરવા માટે વ્યર્થ પ્રયત્ન કરો છો. તમારો ક્ષયોપશમ મંદ છે એટલે આત્મા અને પરમાત્મા બાબતમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતા.
સંસારમાં રહીને પણ પાપથી બચું એ તમારૂ લક્ષ હોવું જોઈએ. તપ, જપ અને આરાધના દ્વારા એવો અભ્યાસ કરી લો કે ભવિષ્યમાં તમારી મર્યાદા મુજબ જીવન જીવો.”
વાણી ઉપર અધિકાર આવી જાય, જીવનમાં પરિવર્તન આવે. અજાણી જગ્યાએ કૂતરો કરડવા આવે છે ત્યારે બધી શક્તિ ભેગી કરીને મુટ્ટીઓ વાળીને દોડો છો ને? મોત પીછો કરશે ત્યારે આપો આપ શક્તિ આવી જશે. પણ પ્રતિક્રમણમાં એક-દોઢ કલાક બેસવાનું આવે છે ત્યારે કમર દુઃખી જાય છે. શક્તિ તો તમારામાં છે, પણ એનો તમે યોગ્ય જગ્યાએ
૪૨
For Private And Personal Use Only