________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી નાંખ્યો છે, એની સજા અત્યારે ભોગવી રહ્યા છો. બાળકોના સંસ્કારની તમને કંઈ પડી નથી. તમારા વિચારોમાં આત્માને અનુકૂળ યુક્તિ આવે તો જલ્દીથી મુક્તિ મળે. ખાતા, પીતા, વ્યવસાય કરતા કરતાં, દરેક ક્ષણે પ્રામાણિકતા દાખવો તો, પરિવાર સ્વર્ગ બની જાય, તમારી દુકાન કે ઓફીસ એ જ મંદિર બની જાય અને પરંપરાએ મોક્ષ મળી જાય. ભગવાનના અનુગ્રહને પાત્ર બનો. તે માટે જીવનને શુદ્ધ અને નિર્મળ બનાવો, રાગ-દ્વેષ રહિત, મિથ્યાત્વ, કષાય અને અવિરતિ રહિત બનાવો. “દરેક જગ્યાએ તમે બધા નિયમોનું અનિચ્છાએ પણ પાલન કરો છો. તો પછી પરમાત્માના કાયદાનો પણ સ્વીકાર કરો. વ્રત નિયમો ધારણ કરો.' સોળ પ્રકારના કષાય બહુ ખરાબ છે. એ બધાથી સાવધાન રહેવા જેવું છે. ગમે તેવા નિમિત્તો આવે, પણ તમારી જાતને એનાથી દૂર રાખો, પણ કષાયને આધિન ન થાવ.
મન બહુ લોભી છે, ચંચળ છે. આત્મા અને ધર્મ કેવી રીતે અલગ રહે એ માટે મન જાત જાતના પેતરા ગોઠવતું હોય છે. એમ કહેવાય છે કે જેણે “મન સાધ્યું એણે સઘળું સાધ્યું.'
આત્માના વિષય બાબતમાં થોડી જાણકારી મેળવવા પ્રયત્ન કરો. તે માટે ધર્મ ગ્રંથો અને મહાન પુરૂષોના ચારિત્ર વાંચો, સાચા પરિપ્રેક્ષ્યમાં સમજો અને કંઈક જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો.
આ સંસાર ચક્રમાંથી કોઈ બચ્યું નથી, ચક્રવર્તી હોય કે સામાન્ય માણસ હોય, કોઈ આ સંસારચક્રમાંથી બચ્યું નથી. આ
જીવનને ધર્મરૂપી ખીલા સાથે બાંધી દો તો કામ થઈ જાય. પરમાત્માના શરણમાં રહેવાથી વ્યક્તિ ભયમુક્ત બને છે. ધર્મ તરફ થોડું ધ્યાન આપો તો પણ ઘણા પાપોમાંથી બચી જવાશે.”
પૂ. આચાર્ય ભગવંત
૩૧
For Private And Personal Use Only